જામનગરની જૈન યુવતિને સાસરીયાનો સિતમ : પાંચ સામે ફરીયાદ

0
3776

જામનગરની જૈન યુવતિને સાસરીયાનો સિતમ : પાંચ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

  • આરોપી : (૧) રૂષભ સુરેશભાઇ શાહ (૨)હેસાબેન સુરેશભાઇ શાહ (૩) સુરેશભાઇ રમણીકભાઇ શાહ (૪) હેંમાંગી દર્શનભાઈ શાહ (પ) રાજેન્દ્ર ચોટલીયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૮ જૂન ૨૩ જામનગર એમ.પી શાહ ઉદ્યોગનગર સંત કબીર આવાસ યોજનામાં રહેતી જસ્મીનાબેન રૂષભભાઈ શાહ નામની પરણીતાએ સુરેન્દ્રનગરમાં રહેતા પોતાના શ્વસુરપક્ષના સભ્ય સામે દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જસમીનબેન રૂષભભાઈ શાહ કે જેને સુરેન્દ્રનગરમાં રહેતા પોતાના સાસરીયાઓ દ્વારા નાની નાની વાતોમાં વાંક કાઢી માર મારવામાં આવતો અને માવતરે થી વધુ દહેજ લઈ આવવાની માંગણી સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી. જેથી પોતે જામનગર આવી ગઈ હતી, અને પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશનના PSI કલ્પનાબા ચૌહાણ તથા સ્ટાફે જસ્મીનબેનના પતિ ઋષભ સુરેશભાઈ શાહ, સાસુ હંસાબેન સુરેશભાઈ શાહ, સસરા સુરેશભાઈ, નણંદ હેમાંગીબેન દર્શનભાઈ શાહ અને મામાજી સસરા રાજેન્દ્રભાઈ ચોટલીયા વગેરે સામે IPC -ક્લમ ૪૯૮(એ) ૫૦૬ (૨), ૧૧૪ તથા દહેજ ધારા અંગેની કલમ હેંઠળ ગુન્હો નોંધી તપાસનો દોર સુરેન્દ્રનગર સુધી લંબાવ્યો છે.હાલ આ બનાવને લઇ શહેરભરમાં સારી એવી ચર્ચા