જામનગરના ચર્ચાસ્પદ જતીન પઢીયાર અને વિરલ હાડા અપહરણ-ખંડણી પ્રકરણમાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

0
1931

U.P મુકામે અપહરણ કરી 20 લાખ ની ખંડણી માગ્યા ના ગુન્હા માં સંડોવાયેલ ફોજી તથા અન્ય એક શખ્સ ને જામીન મુક્ત : ગુજરાત હાઇકોર્ટ

નગરના યુવા ધારાશાસ્ત્રી શિવરાજસિંહ રાઠોરની ધારદાર દલીલોને મળી વધુ એક સફળતા

પોલીસે જતીન પઢીયાર અને વિરલ હાડા નામના બંને યુવાનોને છોડાવી હેમખેમ મૂક્ત કરાવેલ હતા

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૨ જૂન ૨૨ જામનગર સહિત ગુજરાતભરમાં ચર્ચસ્પદ બનેલ જામનગર શહેરના સ્વામીનારાયણનગરમાં રહેતા બે મિત્રો ઉત્તરપ્રદેશ ફરવા માટે ગયા હતા , દરમ્યાનમાં ત્યાં કોઇએ અપહરણ કરી ધમકીઓ આપી અને ખંડણીની માંગણી કરી હતી.આ બાબતની જાણ જામનગર બે મિત્રો પૈકીના એકના પત્નીને થતા પોલીસનો સંપર્ક કર્યો હતો જેના આધારે હરકતમાં આવેલી જામનગર પોલીસે તાકીદે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું..

સાયબર ક્રાઇમની મદદ મેળવી જામનગર પોલીસની ટુકડી ઉત્તરપ્રદેશના કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી હતી અને ગણતરીની કલાકોમાં ઓપરેશન પાર પાડીને ભોગ બનનારને છોડાવી આરોપીને પકડી લેવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપીઓએ એડવોકેટ શિવરાજસિંહ રાઠોર મારફત જામીન મુક્ત થવા માટે અ૨જી કરી હતી.જામનગરમાં તારીખ 27/11/2021 ના રોજ જામનગર ના ૩ વેપારી ને U.P કાનપુર મુકામે કાવતરું રચી બોલાવી અપહરણ કરી ગોંધી રાખેલ લમણે બંધુક રાખી તેમના ઘરે ફોન કરી ૨૦ લાખ ની ખંડણી માગવા બાબતે જામ. સિટી-બી. ડિવી માં IPC 364A , 386, 506(2), 342, 120(B), 114 મુજબ ગુન્હો નોંધાયેલ હતો ઇન્ચાર્જ SP નીતીશ પાંડેએ દ્વારા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી 3 શખ્સોને  U.P મુકામે થી છોડાવી પરત લાવવા માં આવેલ હતા બાદ આરોપીઓ દ્વારા કરવામાં આવેલ જામીન અરજી ગુજરાત હઇકોર્ટ સમક્ષ ચાલી જતા સરકાર પક્ષ દ્વારા ગુન્હો માં આજીવન તેમજ ફાંસીની સજા ને પાત્ર ગુન્હો ગુન્હો હોઈ જેથી જામીન રદ કરવા દલીલો કરેલ હતી જ્યારે આરોપી ના વકીલ દ્વારા માત્ર ગુન્હા ની સજા ની ગંભીરતા જોઈ જામીન નક્કારી શકાઈ નહીં તેમજ અન્ય કાયદાકિય દલીલો કરવામાં આવેલ હતી જે ધ્યાને લઈ એક રીટાઇર સુબેદાર સહિત અન્ય એક U.P ના બાહુબલી ને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવેલ છે આરોપી તરફે વકીલ શિવરાજસિંહ બી રાઠોર રોકાયેલા હતા