જામનગર વહિવટીતંત્રને વેક્સિનેશન મામલે યુવા કોંગ્રેસની આંદોલનની ચીમકી.

0
273

જામનગર વહિવટીતંત્રને વેક્સિનેશન મામલે યુવા કોંગ્રેસની આંદોલનની ચીમકી.

જામનગર: જામનગર શહેર જિલ્લા યુવક કોંગ્રેસ ના હોદ્દેદારો તેમજ કોંગી કોર્પોરેટરો વગેરે દ્વારા આજે વેક્સીન મુદ્દે રેલી સ્વરૂપે મહાનગરપાલિકાની કચેરી ના પહોંચી જઈ ‘જામનગર ની જનતા વેકશિન આપો’ અને ‘વેકશિનના નામે ભાજપ ના તાયફા બંધ કરો’ ના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.કોંગી કાર્યકરોએ વેક્સિન ના મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને પુષ્પ આપ્યા પછી આવેદનપત્ર પાઠવ્યું હતું, અને શહેરમાં લોકો વેક્સિનેશન થી વંચિત રહી જાય છે. જે મામલે યોગ્ય કરવા માગણી કરી હતી. જામનગર શહેરમાં વેકશિનનો કેટલો જથ્થો આવે છે? અથવા તો ખાનગી માં કેટલો આપી દેવાય છે? અને કેટલો જથ્થો વેડફાઈ જાય છે, તેવા અનેક પ્રશ્ર્નો સાથે આવેદનપત્ર પાઠવી વેક્સિનેશન ની પ્રક્રિયા વધારવા માંગણી કરી છે.

અને જો લોકોને સમયસર વેક્સિન નહીં મળે તો કોંગ્રેસ દ્વારા આ મામલે ઉગ્ર આંદોલન સાથે લડત ચલાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.