જામનગર : જોડિયા પાસે હોટલમાં કામ કરતા નેપાળી વેઇટર ને વીજ આંચકો લાગતાં કરૂણ મૃત્યુ

0
2155

જોડીયાના ભાદરા પાટીયા પાસે આવેલી એક હોટલમાં કામ કરતા નેપાળી વેઇટર ને વીજ આંચકો લાગતાં કરૂણ મૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ સપ્ટેમ્બર ૨૪, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે આવેલી એક હોટલમાં કામ કરી રહેલા નેપાળી વેઈટરને ઓવનમાંથી વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ નેપાળનો વતની અને હાલ જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે આવેલી દ્વારકાધીશ હોટલમાં રહીને વેઇટર તરીકે કામ કરતો અનિલ ઉર્ફે સુનિલ હુમબહાદુર થાપા નામનો ૨૦ વર્ષનો નેપાળી યુવાન કે જે વેઇટર તરીકે કામ કરતો હતો, અને રસોડામાં સાફ-સફાઈના કામ દરમિયાન તેને ઇલેક્ટ્રીક ઓવન માંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને ચોંટી જતાં તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જોડિયાની રેફરલ હોસ્પિટલમાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો.

આ બનાવ અંગે મીનબહાદુર થાપા એ પોલીસને જાણ કરતાં જોડિયા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એમ. ભીમાણી બનાવના સ્થળે તેમજ જોડિયાની હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, જયાં નેપાળી યુવાનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, અને મૃતકના પરિવારને તેના વતનમાં જાણ કરવામાં આવી છે.