જામનગર બાર એસો.ના હોદેદારો માટે ૧૫ ડીસેમ્બરના યોજાશે ચૂંટણી : ઉપપ્રમુખમાં ભરતસિંહ જાડેજા બિનહરીફ

0
1307

જામનગર બાર એસો.ના હોદેદારો માટે તા.૧૫ યોજાશે ચૂંટણી : ૧૨૩૭ સભ્યો કરશે મતદાન 

  • ઉપપ્રમુખ માટે એક પણ ફોર્મન ભરાતા ભરતર્સિંહ જાડેજા તથા સેક્રેટરી મનોજ ઝવેરી  બિનહરીફ જાહેર થયા
  • કારોબારીમાં દિપક ભાલાળા, હર્ષ પારેખ, જયેશકુમાર સુરડીયા, કલ્પેન રાજાણી, મૃગેન ઠાકર તથા મીતુલ હરવરાને બિનહરીફ જાહેર કરાયા
  • પ્રમુખપદે ૯ વખતથી રહેલા ભરતભાઈ સૂવા સાથે અનીલ મહેતા અને નયન મણીયાર વચ્ચે જંગ ખેલાશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૯ ડીસેમ્બર ૨૩ જામનગરના બાર એસો.ની આગામી તા.૧૫ ના રોજ ચૂંટણી યોજાનાર છે. પ્રમુખ સહિતના પ્રતિષ્ઠિત પદો માટે ઉમેદવારીપત્રો રજૂ થઈ રહ્યા છે. શુક્રવારે તેની ચકાસણી પછી આખરી ઉમેદવારોની યાદી જાહેર થશે. મંડળના ૧૨૩૭ સભ્યો પ્રમુખ સહિતના પદ માટે મતદાન કરશે. વર્તમાન પ્રમુખ નવ વખત પ્રમુખપદે ચૂંટાયા પછી આ વખતે પણ પ્રમુખપદ માટે ફોર્મ રજૂ કરી ચૂક્યા છે.જામનગરના બાર એસો.ના પ્રમુખ સહિતના પદો માટે આગામી તા.૧૫ ડિસેમ્બરના દિને.ચૂંટણી યોજાવાની છે તે માટે ઉમેદવારી પત્રો ઈસ્યુ કરવામાં આવ્યા પછી શનિવારે જે ઉમેદવારો પોતાની દાવેદારી પરત ખેંચશે તે પછી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બનશે. હાલમાં પ્રમુખપદ સહિતના હોદ્દાઓ માટે ૨૫ ફોર્મ ભરાયાં છે.

જામનગરના વકીલમંડળ દ્વારા ચાલુ મહિનાના પ્રથમદિને મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવ્યા પછી અને તેમાં નવા મતદારોને જોડવાની પ્રક્રિયા કરવામાં આવ્યા પછી મંગળવારે આખરી મતદારયાદી પ્રસિદ્ધ થઈ છે. હાલમાં જામનગરના વકીલમંડળમાં ૧૨૩૭ સભ્યો નોંધાયેલા છે. મતદારયાદી પ્રસિદ્ધ થયા પછી ઉમેદવારી માટે ફોર્મ ઇસ્યુ કરવામાં આવતા આજ સુધીમાં કુલ ૨૫ ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે.છેલ્લા નવ વખતથી પ્રમુખપદે ચૂંટાઈ આવતા એડવોકેટ ભરતભાઈ સુવા તેમજ એડવોકેટ નયન મણિયારે પ્રમુખપદ માટે દાવેદારી કરી છે. તે સિવાયના ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી, લાઈબ્રેરી મંત્રી તેમજ કારોબારી સભ્યો સહિતના પદો માટે પણ ઉમેદવારી કરવામાં આવી રહી છે. તા.૮ નાં ફોર્મ ની ચકાસણી રાખવામાં આવી છે. તે પછી જે કોઈ ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચવા ઈચ્છતા હોય તેઓને બપોરના બે વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેના પછી આજરોજ શનિવારે બાકી રહેલા ઉમેદવારોની યાદી જાહેર થશે. અને આગામી શુક્રવારે સવારના ૦૯-૩૦ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી જામનગરના વકીલ મંડળ નાં બેઠક હોલ મા મતદાન રાખવામાં આવ્યું છે.

બાર એસોસીયેશન ચૂંટણી પહેલા ઉપપ્રમુખમાં ભરતસિંહ જાડેજા, સેકેટરીમાં મનોજ ઝવરી અને કારોબારી સભ્ય માટે કુલ ૮ ફોર્મ આવેલા તેમાંના ૨ ઉમેદવારી ફોર્મ રદ થતા દિપક ભાલાળા, હર્ષ પારેખ, જયેશકુમાર સુરડીયા, કલ્પેન રાજાણી, મૃગેન ઠાકર તથા મીતુલ હરવરાને ચુટણી કમિશ્નર કે.ડી ચૌહાણ, જોઈન્ટ ચુંટણી કમિશ્નર મીહીર નંદા, બી.ડી ગોસાઇ દ્વારા બિનહરીફ તરીકે સત્તાવાર જાહેર કરવામાં આવી છે.