અપમૃત્યુના ત્રણ બનાવો : જામનગરના લતીપર વાડી વિસ્તારમાં માતા-પિતાના ઝગડાથી કંટાળી યુવતિએ ઝેરી દવા પી આયખું ટુંકાવ્યું :વાલીઓને ચેતવણી આપતો કિસ્સો

0
257

વાલીઓને ચેતવણી આપતો કિસ્સો: જામનગરના લતીપર વાડી વિસ્તારમાં માતા-પિતાના ઝગડાથી કંટાળી યુવતિએ ઝેરી દવા પી આયખું ટુંકાવ્યું

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરની જી.જી.હોસ્પિટલના મેડીકલ યુનટી-પ ના એમ.ડી. ડો.એન.આર.રાઠોડ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.9-7-2021ના મરણજનાર માયાબેન રમેશભાઈ નારાયણભાઈ આદીવાસી, ઉ.વ.17, રે. લતીપર વાડી વિસ્તાર તા. જિ. જામનગર વાળાના માતા પીતા અવાર નવાર ઝઘડો કરતા હોય જેથી તેણીને માઠુ લાગી જતા જાતે જ વાડીમાં પડેલી જંતુનાશક ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં જામનગરની  જી. જી. હોસ્પિટલમાં સારવારમાં હોય અને તા.26-7-2021ના રોજ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ પામવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

બીમારીથી કંટાળી જઈ યુવતિએ ઝેરી દવા પી લેતા મોત
કાલાવડ ગામે રહેતા રાજુભાઈ મેરૂભાઈ કીલાણીયા, ઉ.વ.40, એ કાલાવડ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.28-7-21ના આ કામે મરણજનાર આરતીબેન મેરૂભાઈ કીલાણીયા, ઉ.વ. 21, રે. કૈલાશનગર, કાલાવડવાળા ને માથાનો તથા કમરનો દુ:ખાવો હોય જેથી ઉંદર મારવાની દવા પી મરણ ગયેલ છે.

છાતીમાં દુ:ખાવો ઉપડતા યુવાનનું મોત
ધ્રોલ તાલુકાના સોયલ ગામે રહેતા સુરેશભાઈ ચનાભાઈ ઝાપડા, ઉ.વ.40 એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.28-7-ર0ર1ના આ કામે મરણજનાર દેવાભાઈ ચનાભાઈ ઝાપડા, ઉ.વ.45, રે. સોયલ ગામ વાળા ને સોયલ ટોલનાકાની બાજુમાં હોટલ પાસે, અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા ઉલ્ટી કરવા લાગતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલ માં લાવતા મરણ ગયેલ છે.