જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા નજીક જાનૈયાઓ ભરેલો બોલેરો પલટી મારી જતાં એક આધેડનું મૃત્યુ : અન્ય ૧૦ ઘાયલ
-
સિક્કા-સરમત વિસ્તારમાંથી લગ્નનો ચાંદલો લઈને જઈ રહેલા જાનૈયા પરિવારને ફલ્લાની ગોળાઈ માં નડ્યો અકસ્માત
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ મે ૨૪, સિક્કા-સરમત વિસ્તારમાં રહેતો એક પરિવાર બોલેરોમાં લગ્નનો ચાંદલો લઈને બોટાદ જઈ રહ્યો હતો, દરમિયાન વહેલી સવારે ફલ્લાની ગોલાઈ પાસે અકસ્માત નડ્યો હતો, અને બોલેરો પલટી મારી જતા તેમાં બેઠેલા ૧૧ વ્યક્તિ ને નાની મોટી ઈજા થઈ હતી. જે પૈકી ૧ જાનૈયા નું મૃત્યુ નીપજ્યું છે. પોલીસ વધુ તપાસ ચલાવે છે.