Home Gujarat Jamnagar જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિની માતા-પિતા વિહોણી 16 દીકરીઓનો સમૂહલગ્નોત્સવની તડામાર...

જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિની માતા-પિતા વિહોણી 16 દીકરીઓનો સમૂહલગ્નોત્સવની તડામાર તૈયારી.

0

જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિની માતા-પિતા વિહોણી 16 દીકરીઓનો સમૂહલગ્નોત્સવની તડામાર તૈયારી.

લગ્નના મંડપમાં જતા પહેલા તમામ ક્ધયાઓ માટે દિકરી પૂજન નામનું વિશિષ્ટ પૂજન

તમામ દિકરીઓને ક્ધયા દાન જે લોકોને પુત્રી નથી તે લોકો દ્વારા કરવામાં આવશે

દેશ દેવી ન્યુઝ જામનગર: 14. જામનગરમાં તપોવન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આગામી તા.17ની સાંજે માતા-પિતા અથવા પિતા વિહોણી 16 દિકરીઓના સમુહ લગ્નો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે. સસ્થા દ્વારા સહયોગીઓની મદદથી દિકરીઓને જંગી કરીયાવર અપાશે. તેમજ લગ્નના મંડપમાં જતા પહેલા તમામ ક્ધયાઓ માટે દિકરી પૂજન નામનું વિશિષ્ટ પૂજન કરાશે.તપોવન ફાઉન્ડેશનના સ્થાપક રાજન જાની, ટ્રસ્ટીઓ, પૂર્વ રાજયમંત્રી વસુબેન ત્રિવેદી, પરેશ જાની તેમજ સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી નરેન્દ્ર ત્રિવેદીએ અનોખા સમુહ લગ્નોત્સવના આયોજનની માહિતી આપતા જણાવ્યું હતું કે, જામનગરમાં સર્વ જ્ઞાતિ ધોરણે થઇ રહેલા આ પ્રથમ આયોજનમાં માતા-પિતા અથવા પિતા વગરની દિકરીઓના સંસ્થા દ્વારા સમુહ લગ્ન કરાવવામાં આવશે. જેમાં બે વિશેષતા છે. એક તો આવી તમામ દિકરીઓને ક્ધયા દાન જે લોકોને પુત્રી નથી તે લોકો દ્વારા કરવામાં આવશે.

આ ઉપરાંત મંડપમાં લગ્નવિધિની શરૂઆત પહેલા વિવિધ કંપનીઓ દ્વારા દિકરીઓનું પૂજન થશે. જનતા ફાટક પાસેથી 16 વરરાજાઓ 4 બગીઓમાં વરઘોડો નિકાળીને રણજીતનગર પાછળના પ્રણામી સંપ્રદાયની જગ્યામાં ઉભા કરાયેલા લગ્ન સ્થળ સુધી પહોંચશે. આ ભગીરથ કાર્યપાર પાડવા 180 કાર્યકરોની ટીમ 25 કમિટીમાં વહેંચાઈને કામ કરી રહી છે.આ પ્રસંગમાં આશિર્વાદ આપવા જૂનાગઢના ભવનાથના આશ્રમના શેરનાથબાપુ, દેવપ્રસાદ મહારાજ, કૃષ્ણમણિ મહારાજ તેમજ વિધાનસભાના સ્પીકર નીમાબેન આચાર્ય, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, આર.સી.ફળદુ સહિતના રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version