જામનગરમાં મનીષ રોહેરાએ ફરી ‘લખણ’ ઝળકાવ્યું: પિતા પુત્રનું દંગલ

0
4170

શહેરના વાલ્કેશ્વરી પાસે બાળકોના ઝઘડામાં મોટા બાખડી પડ્યા: ગુરૂવાર રાત્રીનો બનાવ. 

  • જામનગરમાં મનીષ રોહેરાએ ફરી ‘લખણ’ ઝળકાવ્યું: બાળકોના ઝઘડામાં બે પોલીસમેનને સાથે લઈ “રોફ” જમાવું પડયું ભારી : સર્જાયા ભાગાભાગીના દ્રશ્યો.

  • જાતે માથા પછાડી પહોંચ્યો પોલીસ સ્ટેશન.! 
  • મોડી રાત્રિ સુધી બંને પોલીસમેન મનીષ રોહેરાના અંગરક્ષક તરીકે પોલીસ સ્ટેશને પડ્યા રહ્યા. તા’ સોપારીના વેપારીએ શહેરમા ફેલાવ્યું આતંકી સામ્રાજ્ય.! 

  • વિદ્યાર્થી વયમાં બાળકોના કોમળ મનમાં ભાઈગીરીનો ચસ્કો બન્યો ચિંતાનો વિષય..

  • આરોપી :- (૧ ) સાલીન ( ૨ ) સોમ્ય રોહેરા ( ૩ )ભવ્ય રોહેરા  ( ૪ ) મયુરભાઇ ( ૫ ) મનીષ રોહેરા (૬) બે અજાણ્યો ઇસમ

  • સામાવાળા :- (૧)  વિજયસિંહ રાણા ( ૨ ) મહાવીરસિંહ રાણા ( ૩ )  વિજયસિંહનો મિત્ર રાજ   (૪) સિધ્ધાર્થ દોશી  ( ૫ ) એજાજ  ( ૬) પ્રદ્યુમનસિંહ જાડેજા તથા અજાણ્યો ઇસમ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૯. જામનગર શહેરના વાલકેશ્વરીમાં બાળકોના ઝઘડામાં સોપારીના વેપારીએ બબાલ કરતા મામલો પોલીસ મથકે પહોંચતા મોડી રાત સુધી રાજકીય ડ્રામા વચ્ચે નોંંધાવાઈ સામ-સામી ફરીયાદ

જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી જામનગરમાં કરોડનું ફુલેકુ ફેરવીને એક શખ્સ દુબઈ નાશી ગયાના સમાચારે શહેર ભરમાં સારી એવી ચર્ચા જગાડી છે અને આ પ્રકરણમાં શહેરના નામાંકીત આસામી/વેપારીઓ એકના ડબલ કરવાના ચક્કરમાં કરોડોનો શીશામાં ઉતરી ગયા હતા પરંતુ આ સમગ્ર ફુલેકુ આચરનારનો પરિવાર જામનગરમાં રહેતો હોય, અને તેનો પુત્ર અને વિજયસિંહ રાણા ક્લાસમિત્ર હોય મનીષ રોહેરનો પુત્ર સોમ્યને તેના પિતાને મળવા આવવાનું દબાળ કરતો હતો અને મારા પપ્પાને મળવા આવું પડશે તારે તારા રાણા બાણાને કેવું હોય તો કઈ દેજે..!તે સઘળી વાત કલાસમિત્રને કહેતા વિજયસિંહ રાણાએ રાજસિંહને વાત કરવા વાલકેશ્વરીમાં મોકલેલ તેવામાં મનીષ રોહેરા અને મયુર  બે પોલીસમેન સાથે ઘસી આવેલ અને રાજ માનસિંહ જાડેજાને મોઢાના ભાગે મુક્કો મારી ચશ્મા તોડી નીચે પછાડી દીધેલ જેથી રાજસિંહ જાડેજાએ વિજયસિંહ રાણાને ફોન કરી માર મારવાની વાત કરતા વિજયસિંહે તેના પિતા મહાવીરસિંહ રાણાને ફોન કરી ઝડપથી વાલ્કેશ્વરી પાસે જાવાનું કેતા મહાવીરસિંહ રાણા બનાવના સ્થળે પહોંચતા મહાવીરસિહે કહેલ કે બાળકોની વાતમાં ઝગડવાનું  ‘ન’ હોય તેથી મનીષ રોહેરા મનફાવે તેવી ભુડી ગાળો ભાંડી એસપીને ફોન કરો તેવી ગર્ભિત ધમકી આપી ધમાચકડી બોલાવી ભાગી છૂટ્યો હતો. વાલકેશ્વરીમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા

હાલ આ મામલે શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે લોકમુખે એવુ પણ ચર્ચાય રહ્યું છે. સોપારીનો ધંધાર્થી મનીષ રોહેરા દ્વારા અવાર-નવાર માથાકુટ કરી શહેરભરમાં “ખોફ” નો માહોલ ઉભો કરી રહ્યો છે.!

બાદમાં આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા મોડી રાત સુધી તમાસો સર્જાયા બાદ સીટી બી ના પોલીસ ઈન્સ. ભોયે બંનેની સામ-સામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવે છે.