જામનગર ખોડીયાર કોલોનીમાં ટ્રાફિક બ્રિગેડને માથામાં ‘ટીફીન’ ફટકાર્યા

0
6787

જામનગરના ટ્રાફિક બ્રિગેડ ના જવાન પર હુમલો કરી ફરજમાં રૂકાવટ: પર પ્રાંતિય શખ્સ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦ નવેમ્બર ૨૩  જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફીક ની ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડ ના જવાન સાથે પર પ્રાંતીય શખ્સે બોલાચાલી કર્યા પછી તેના પર ટિફિન વડે હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દેવુભા ના ચોક વિસ્તારમાં રહેતા અને જામનગરની ટ્રાફિક શાખામાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતા જયવીન મુકેશભાઈ ઓઝા એ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના ઉપર ટિફિન વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમ જ પોતાની ફરજમાં રૂકાવટ ઊભી કરવા અંગે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ મહાકાળી સર્કલ વિસ્તારમાં રહેતા ક્રિષ્ના રામસુંદર રાજપૂત સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી ખોડિયાર કોલોની વિસ્તારમાં પોતાની ફરજ પર હતા, જે દરમિયાન વાહન ચાલકને રોકવા બાબતે આરોપી સાથે બોલાચાલી થઈ હતી, અને હાથમાં રહેલું ટિફિન ટ્રાફિક બ્રિગેડના ખંભા તથા માથામાં ફટકારીને ઇજા પહોંચાડી હતી. પોલીસે આરોપી ક્રિષ્ના રાજપુત સામે આઇપીસી કલમ ૧૮૬ અને ૩૩૨ મુજબ ગુન્હો નોંધ્યો છે.