જામનગર હાપામાં ચારણ યુવાનની હત્યા નિપજાવનાર બાળ આરોપી નીકળ્યો

0
9293

જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં ચારણ યુવાન ની હત્યા નિપજાવનાર બાળ આરોપી નીકળ્યો

  • હત્યા નિપજાવનાર આરોપી સગીર વયનો હોવાથી અટકાયત કરી લઈ રાજકોટ બાળ સુધાર ગ્રહમાં મોકલી દેવાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ જૂન ૨૪, જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા એક ચારણ યુવાન પર સ્થાનિક બાવરી શખ્સે છરી વડે હુમલો કરી દઇ હત્યા નીપજાવી હતી, જે પ્રકરણમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું હતું. જે આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તે સગીર વયનો હોવાથી તેને રાજકોટ બાળ સુધાર ગ્રહમાં મોકલી દેવાયો છે.

જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા વિજસુર ધાનસુર વીર નામના ૨૧ વર્ષના ચારણ યુવાન પર શનિવારે બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં હાપા ખારી વિસ્તારમાંજ રહેતા એક બાવરી શખ્સે જૂની અદાવતનું મનદુઃખ રાખીને છરી વડે હુમલો કરી દઈ હત્યા નિપજાવી હતી.

જે પ્રકરણમાં પંચકોશી એ. ડિવિઝનના પીએસઆઇ એ. કે. પટેલ અને તેમની ટીમે બાવરી શખ્સ સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો. પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી, દરમિયાન તેની ઉમર પુખત વયની નહીં હોવાનું અને તે સગીર વયનો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, તેથી પોલીસે તેને રાજકોટ બાળ સુધાર ગ્રહ માં રજૂ કરી ત્યાં મોકલી દેવામાં આવ્યો છે. ઉપરાંત હત્યા મા વપરાયેલી છરી કબજે કરી છે.