જામનગર બેડીના હુમલા પ્રકરણમાં ૬ સામે હત્યાનો પ્રયાસ , કાવતરું અંગે ગુનો નોંધાયો

0
6027

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા યુવાન પર જીવલેણ હુમલો કરનાર ૬ શખ્સો સામે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધાયો

  • આરોપી :- (૧) સબ્બીર કાસમભાઇ છરેચા રહે.બેડી, થરી વિસ્તાર, જામનગર (૨) અનવર હાજીભાઇ છરેચા રહે. બેડી, જામનગર તથા ચાર અજાણ્યા માણસો “

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ જાન્યુઆરી ૨૪, જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર કરચલા પકડવા બાબતે તકરાર થયા પછી ૬ શખ્સોએ છરી સહિતના ધારદાર હથિયાર વડે જીવણ હુમલો કર્યો હતો. જે પ્રકરણમાં પોલીસે તમામ હુમલાખોરો સામે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધ્યો છે, અને તમામની શોધખોળ હાથ ધરી છે.

જામનગર નજીક બેડી વિસ્તારમાં રહેતા અસગરભાઈ કાસમભાઈ સંઘાર નામના યુવાન પર ગઈકાલે સાંજે કરચલા પકડવા જેવી બાબતનું મનદુઃખ રાખીને હુમલો કરાયો હતો, અને છ જેટલા શખ્સોએ છરી તથા અન્ય ધારદાર હથિયારો વડે હુમલો કરી દીધો હતો. જેથી અસગર કાસમ સંઘારને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક ગણાવાઈ રહી છે.

આ હુમલા ના બનાવ અંગે ઇજાગ્રસ્ત ના સંબંધી અબુભાઈ આદમભાઈ સુંભણીયાએ અસગર કાસમભાઈ પર જીવલેણ હુમલો કરી ખૂનની કોશિશ કરવા અંગે બેડી વિસ્તારમાં જ રહેતા સબીર કાસમ ભાઈ છરેચા, અનવર હાજીભાઈ છરેચા, તથા તેના અન્ય ચાર સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને પોલીસે હત્યા પ્રયાસ અંગેની કલમ ૩૦૭ તથા પૂર્વયોજિત કાવતરૂં ઘડી જામ સીટી બી .કલમ-૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦ (બી) તથા જી.પી.એક્ટ્ની કલમ-૧૩૫(૧) મુજબ જીવલેણ હુમલો કરવા અંગેની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તમામ આરોપીઓ ભાગી છૂટ્યો હોવાથી તેઓની શોધખોળ હાથ ધરી છે.