જામનગરમાં યુવાને ફિલ્મી સ્ટાઇલે ધસમસતી ટ્રેન સામે દોટ મૂકી

0
3962

જામનગરમાં અંધાશ્રમ આવાસ પાસે એક યુવાન ટ્રેન હેઠળ કપાયો

  • ધસમસતી ટ્રેન સામે દોડી આવેલા યુવાનનું ટ્રેનની ઠોકરે કરુણ મૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ ઓક્ટોબર ૨૩ જામનગરમાં અંધાશ્રમ આવાસ પાસે મોડી સાંજે એક યુવાન ધસમસતી આવી રહેલી ટ્રેનની સામે દોડી આવ્યો હતો, અને ટ્રેનના એન્જિન ની ઠોકરે કપાઈ જવાના કારણે તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજયું છે. પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંધાશ્રમ આવાસ પાસેથી પસાર થઈ રહેલી રેલ્વે લાઈન પર સાંજના સમયે એક યુવાને એકાએક પાટા પર દોટ મુકી ધસમસતી, અને સામેથી આવી રહેલી ટ્રેન સાથે ધડાકાભેર અથડાઈ પડતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું હતું.મૃતક યુવાન આત્મહત્યા કરવાના ઇરાદાથી ટ્રેન ના પાટા પર કૂદી પડ્યો હતો, અને સામેથી આવી રહેલી ટ્રેન ના એન્જિન સાથે ટકરાઈ ગયા પછી તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવવાની જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહનો કબજો સંભાળી તેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ ઘટનાને લઈને ભારે દોડધામ થઈ હતી, અને લોકોનું ટોળું એકત્ર થયું હતું.