નાગેશ્ર્વર કોલોનીમાં પ્રેમીકાના પતિને છૂટાછેડા આપી દેવાની ધમકી આપી માર માર્યો

0
1552

નાગેશ્ર્વર કોલોનીમાં પ્રેમીકાના પતિને છૂટાછેડા આપી દેવાની ધમકી આપી માર માર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર O7.જામનગરના જુના કુંભારવાડામાં રહેતા કેતન ચૌહાણ નામનો શખસ નાગેશ્વર કોલોનીમાં જઇ જોર જોરથી રાડો પાડી ઘર બહાર બોલાવી કહેલ કે તારી પત્નિ દિપાલીને મારા સાથે પ્રેમસંબંધ છે તું તેને છુટાછેડા આપી દે તેમ કહી…અહીં રહેતા રાહુલ ભાણજીભાઈ બારીયાને લોખંડના પાઈપ વડે ફરીયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જે અંગે રાહુલ ભાણજીભાઈ બારીયાએ કેતન ચૌહાણ વિરૂઘ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. આથી પોલીસે રાહુલ ની ફરિયાદ પરથી 323,324, 504,506 (2) તથા જી.પી એકટની કલમ 135 (1) મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.