નાના થાવરીયામાં આઘેડ ઉપર હિચકારો હુમલો : ગ્રામજનોનું આવેદન.

0
349

નાના થાવરીયામાં આઘેડ ઉપર હિચકારો હુમલો.

જામનગર: જામનગર પંથકના નાના થાવરિયા ગામમાં રહેતા નંદલાલભાઇ મોહનભાઈ કારસરીયા ઉંમર વર્ષ 50 એ પંચકોશી એમાં નાના થાવરીયા ગામના સંદીપસિંહ દરબાર નામના ઈસમ સામે જુદી જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે, ગઈકાલે નાના થાવરિયા ગામે આવેલ કુદરત કોમ્પલેક્ષ પાસે આરોપી સંદિપસિંહ એ ફરિયાદીને તું હોય કે તારો ભાઈ કારો કોઈ અહીં પાદરમાંથી નીકળવું નહીં.

તેમ કહીને અપશબ્દો બોલ્યા હતા. તેમજ ધોકા વડે નંદલાલભાઈને આડેધડ ઘા મારીને મૂઢ ઇજાઓ પહોંચાડી હતી તેમજ કાનની પાછળના ભાગે લોહીની ફૂટ જેવી ઈજા કરી તમે ત્રણેય ભાઈઓમાંથી કોઈ અહીં પાદરમાંથી નીકળ્યા તો પતાવી દેવા છે તે રીતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.