આવતીકાલે મકરસંક્રાંતિમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા

0
430

આવતીકાલે મકરસંક્રાંતિમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર 13. આવતીકાલે જામનગર શહેર અને જિલ્લામાં મકરસંક્રાંતિના પર્વે પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે વન વિભાગ તેમજ જામનગરની એન.જી.ઓ. સંસ્થા દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યા છે, અને વન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં આઠ સ્થળે તેમજ એનિમલ એમ્બ્યુલન્સ ના નંબરો જાહેર કરાયા છે. તે જ રીતે જામનગરની એનજીઓ સંસ્થા દ્વારા પણ જુદા-જુદા પાંચ સ્થળે હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા છે.

જામનગર શહેરમાં લાખોટા નેચર ક્લબ નામની એનજીઓ સંસ્થા દ્વારા જુદા જુદા પાંચ નંબરો જાહેર કરાયા છે.

સુરજભાઈ જોશી-75748 40199
મયંકભાઈ સોની-93280 75625
મયુરભાઈ નાખવા- 98242 24601
સબીરભાઈ વીજળીવાળા-99983 02605
વૈભવભાઈ ચુડાસમા- 97273 19131
ના નંબરો જાહેર કરાયા છે.

જે નંબર ઉપર શહેરી વિસ્તારમાં ઘાયલ થયેલા પક્ષીઓ ની જાણકારી આપી શકાશે, અથવા તો પક્ષીઓને ત્યાં લાવીને સારવાર કરાવી શકાશે.

આ ઉપરાંત જામનગર જિલ્લાના વનવિભાગ દ્વારા પણ હેલ્પલાઇન નંબર શરૂ કરાયા છે જેમાં જામનગર શહેરમાં ગંજીવાડા વિસ્તારમાં આવેલી રેંજ ફોરેસ્ટ ઓફિસ જેના પાંચ નંબરો 288-2677926 તેમજ 94282 72521, 9428075841, 98242 24601, અને 972723 19131 જાહેર કરાયા છે.

ઉપરાંત ખીજડીયા પક્ષી અભ્યારણ રેંજ ફોરેસ્ટ ઓફિસની કચેરી-94085 78822, જોડીયા રેંજ ફોરેસ્ટ ઓફિસ ની કચેરી-94848 85685, ધ્રોલ રેંજ ફોરેસ્ટ ઓફિસની કચેરી-99796 04786 અને 96019 01342, જામજોધપુર રેંજ ફોરેસ્ટ ઓફિસ ની કચેરી-93168 65018 તેમજ 96385 43524, લાલપુર રેંજ ફોરેસ્ટ ઓફિસ ની કચેરી-99095 85985, અને 81538 84287, કાલાવડ રેંજ ફોરસ્ટ ઓફિસ ની કચેરી-79905 25701 તેમજ 94280 75841, ઉપરાંત નારણપર નર્સરી પક્ષી કેન્દ્ર-75740 00108 નો સંપર્ક સાધી સાથે શકાશે.

સાથોસાથ વનવિભાગના હેલ્પલાઇન નંબર-83200 02000, તેમજ એનિમલ એમ્બ્યુલન્સ ના હેલ્પ લાઈન નંબર: 1962 તથા વીજ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 19122 નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.