કાલાવડના હત્યાના ગુનામાં 10 વર્ષથી પોલીસને થાપ આપતો ફરાર આરોપી ફરી પાંજરે પુરતી પેરોલ ફર્લો

0
409

કાલાવડના હત્યાના ગુનામાં 10 વર્ષથી પોલીસને થાપ આપતો ફરાર આરોપી ફરી ઝબ્બે

ઓળખ બદલી આપી નાસતા ફરતા આરોપીને મોરબીથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

જામનગર : જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સુચના તેમજ એલ.સી.બી. ઇન્ચાર્જ પો. ઇન્સ. એસ. એસ. નિનામાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ.એસ. ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા તથા રણજીતસિંહ પરમારનાઓને બાતમી મળેલ કે કાલાવડ પો. સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. 18/ર008 ઇ.પી.કો. કલમ-30ર વિગેરેના કામે નાસતો ફરતો અને અમદાવાદ જેલમાંથી પેરોલ જમ્પ કરેલ આરોપી હારસંગ લુલીયાભાઇ બામણીયા રહે-મહેન્દ્રા માપીદાર ફળીયુ પોસ્ટ વરજાર તા. ભાભરા જીઅલીરાજપુર (એમ.પી.) વાળો પોતાની ઓળખ બદલી હાલ મોરબી જિલ્લાના બગથળા ગામે હાજર હોય જે હકીકત આધારે પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે કાલાવડ ટાઉન પો. સ્ટે. સોંપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પો.સ.ઇ. એ. એસ. ગરચર તથા પો. હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મેહુલભાઇ ગઢવી, ગીરીરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા મહિપાલભાઇ સાદિયા તથા હેડ કોન્સ. અરવિંદગીરી તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ એસ. જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.