મેલીવિધાના ચકકરમાં પરણીતાને બેફામ માર મારતા હત્યા: ભૂવા સહિત પાંચ શખ્સની સંડોવણી.

0
770

મેલીવિધાના ચકકરમાં અમાનુષી માર મારતા ભોગગ્રસ્તે દમ તોડ્યો.

મૃતકને જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટેનીની કાર્યવાહી..

દ્વારકાના ઓખામઢીમાં મેલુ કાઢવા બેફામ માર મારી પરિણીતાની હત્યા પરિજન , ભૂવા સહિત પાંચેક શખસોની સંડોવણી.

વહેલી સવારે આચર્યુનિર્દયી કૃત્ય : અંધશ્રદ્ધા માં ૨૫ વર્ષીય મહિલાએ જીવ ગુમાવ્યો..

મેલુ કાંડમાં રમીલાબેન વાલાભાઇ સોલંકી નામની મહિલાને સળીયા ગરમ કરી ડાંમ દીધા હોવાનું જાણવા મળેલ છે.

ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી.. અરેરાટી..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : ૧૪. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી ગામે મેલી વિધાના ચકકરમાં પરોઢીયે પરિણીતાને સાંકળ અને ધોકા વડે બેફામ મારી ડામ દઈ અમાનુષી હત્યા નિપજાવવામાં આવી હોવાનો બનાવ સામે આવતા હાલારભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.મૃતકના પરીવારજન સહિત પાંચેક વ્યકિતની સંડોવણી ખુલતા પોલીસે વિધિવત હત્યાનો ગુનો નોંધવા તજવિજ હાથ ધરીછે.

દેવભૂમિ દ્વારકા સહિત હાલારભરમાં ભારે અરેરાટીપ્રસરાવનારા બનાવની જાણવા મળતી વિગત અનુસાર દ્વારકાના ઓખા મઢી ગામે એક ધર્મસ્થાન પાસે વહેલી સવારે રમીલાબેન વાલાભાઈ સોલંકી ( ઉ.વ. 25 ) નામની પરિણિતાને મેલુ કાઢવા માટે તેના પરીવારજન અને ભૂવાઓ સહિતના સાંકળ અને ઘોકા વડે માર મારી શરીરે ડામ દેતા શરીરે ગંભીર ઇજાઓ થતા રમીલાબેનએ દમ તોડયો હતો . આથી આ બનાવ હત્યામાં પલટાયો હતો . આ બનાવની જાણૢ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી તેને પોષ્ટમોર્ટમ અર્થે સ્થાનિક હોસ્પીટલમાં ખસેડયો હતો.

બીજી બાજુ પ્રાથમિક પોલીસ તપાસમાં હત્યાના બનાવમાં અમુક પરીવારજનોની પણ સંડોવણી સામે આવતા પોલીસે પાંચેક લોકો સામે હત્યાનો ગુનો નોંધવા માટે તજવિજ હાથ ધરી છે.

બીજી બાજુ મેલી વિધાના ચકકરમાં એક પરિણિતાની અમાનુષી હત્યાના બનાવના પગલે દ્વારા સહિત હાલારભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.

ક્રૂર હત્યાના આ બનાવમાં મૃતકના પરીવારના ભૂવાઓની સંડોવણી હોવાનુ જાણવા મળ્યુ છે.રાત્રે પાંચેક લોકો સામે નામજોગ ફરીયાદ નોંધાઇ રહી છે .