જામનગર SRP માં ફરજ બજાવતો એજાઝ બન્યો અનિલ પરમારઃ ખોટુ નામ ધારણ કરીને કર્યું દુષ્કર્મ.

0
1655

જામનગર એસઆરપી માં ફરજ બજાવતો એજાઝ બન્યો અનિલ પરમાર.

હિન્દુ નામ રાખી મહિલાને ફસાવી કરતો દુષ્કર્મ લાલબત્તી સમાન કિસ્સો.

સોશિયલ મીડિયા પર ખોટી ઓળખથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પ્રેમજાળમાં ફસાવી.

એજાઝે મહિલાને કહયું તારે માતાજીનું નામ નહી લેવાનું અને બુરખો પહેરવો પડશે.

એજાઝે મહિલાને જણાવ્યું હતું કે તારા જેવી ૬ હિન્દુ છોકરીઓને ફસાવીને સંબંધ બાંધ્યો છે અને તમામ લગ્ન કરવા તૈયાર છે.

મહિલાનો ઘરસંસાર તોડી પોતે SRP માં હોવાનું જણાવ્યું અને એજાઝે સંબધની જાણ મહિલાના પતીને કરી દેતા ઘર સંસાર તૂટી ગયો હતો.

વડોદરા શહેરની હિન્દુ મહિલાને સુરતમાં રહેતા અને જામનગર માં ફરજ બજાવતા SRP જવાન એજાઝ શેખે  સોશિયલ મીડિયામાં અનિલ પરમાર તરીકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવ્યા બાદ પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરીશ તેવો વાયદો કર્યો હતો લગ્નની પ્રપોઝલ મુકતા મહિલાએ જણાવ્યું કે હું પરિણીત છું અને મારે બે બાળકો છે હું લગ્ન કરી શકીશ નહીં આપણે બંને મિત્રો બની શકીએ જેથી એજાજે કહ્યું હું તારા પતિથી છૂટાછેડા અપાવી દઈશ અને બંને બાળકોને સ્વીકાર કરીશ બાદમાં એજાઝે વારંમવાર મહિલાના ઘરે આવી દુષ્કર્મ કર્યું હતું.

તેને વડોદરાના સયાજીગંજ માં આવેલી હોટેલ તથા સુરતમાં તેના ઘરે લઇ જઇ તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ તેની સાથે મારઝૂડ કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે એજાઝની માતા અને બહેને પણ એજાજ ને સાથ આપ્યો હતો પોલીસે એજાઝ તેની માતા તથા બહેન સામે દુષ્કર્મ અને ધમકી નો ગુનો નોંધ્યો છે