જામનગરમાં ભાજપ દ્વારા કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી ના પૂતળા દહન નો કાર્યક્રમ : 8 ની અટકાયત

0
2845

જામનગર માં ભાજપ દ્વારા કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી ના પૂતળા દહન નો કાર્યક્રમ: પોલીસ દ્વારા ભાજપ ના આઠ કાર્યકર્તાઓની અટકાયત

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૦ ફેબ્રુઆરી ૨૪ કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓબીસી અંગે અશોભનીય નિવેદન આપ્યુંછે. આ અંતર્ગત ભાજપ નાં બક્ષીપંચ મોરચા દ્વારા રાહુલ ગાંધી ના પૂતળા દહન કાર્યક્રમ આજે લાલ બંગલા સર્કલમાં યોજવામાં આવ્યો હતો. જે વિરોધ પ્રદર્શન કરી રહેલા ૮ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.ભારતીય જનતા પાર્ટી જામનગર ના બક્ષીપંચ મોરચા દ્વારા શહેર નાં લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી નાં પૂતળાં દહન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓબીસી વિશે એલફેલ ભાષણ રાહુલ ગાંધીએ કર્યું હતું.આથી તેના વિરોધ મા જામનગર માં આજે રાહુલ ગાંધી ના પૂતળાં દહન નો કાર્યક્રમ ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો.ભાજપના કાર્યકર્તાઓ પૂતળું લઈ ને આવતાની સાથેજ પોલીસે તેને કબ્જે કરવા દોડધામ કરી હતી. આ સમયે પોલીસે ભાજપના આઠ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાજપ ના કોર્પોરેટરો કાર્યકર્તા ભાઈ – બહેનો અને બક્ષી પંચ મોરચા ના કાર્યકર્તાઓ જોડાયા હતા.