જામનગર પોલીસ વિભાગમાં ખાતાકીય પરીક્ષા પાસ કરનાર 7 PSIને ફરજ ફાળવણી કરાઈ:જુવો VIDEO

0
3090

જામનગરમાં પોલીસ વિભાગમાં ખાતાકીય પરીક્ષા પાસ કરનાર ૭ પીએસઆઇને ફરજ ફાળવણી કરાઈ

  • ઘરઆંગણે પોસ્ટિંગ મળતા પોલીસબેડામાં આંનદની લાગણી છવાઈ
  • સુરેન્દ્રસિંહ સિયારામ સિંહ ચૌહાણને હેડ કવાર્ટર મુકવામાં આવ્યા
  • ખીમાભાઈ ભોચીયા તથા અશ્વિનભાઈ ગંધાને LCBમાં મુકાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૨. સપ્ટેમ્બર ૨૨જામનગરમાં પોલીસ વિભાગમાં ખાતાકીય પરીક્ષા પાસ કરનાર પાંચ પીએસઆઇને ફરજ ફાળવણી કરાઈ જેમા સરકાર દ્વારા લેવાયેલ ખાતાકીય બઢતી પરીક્ષા (મોડ – ર) માં ઉતિર્ણ થયેલ પોલીસ કર્મચારીઓ (૧) UHC અનોપસિંહ ભીખુભા જાડેજા, જામ જોધપુર પો.સ્ટે., (૨) UHC ખોડુભા માનસંગ જાડેજા પંચ બી પો.સ્ટે. (૩) UASI વસંતલાલ રામજીભાઇ ગામેતી સીટી સી ડીવી. પો.સ્ટે. (૪) UHC ખીમાભાઇ હાજાભાઇ ભોચીયા એલ.સી.બી. (સ્ટેટ મોનીટરીંગ સેલ એટેચ તરીકે) (૫) UHC સુરેન્દ્રસિંહ સિયારામસિંહ ચૌહાણ પોલીસ હેડ કવાટર (૬) UHC રાજેશભાઇ હરદાસભાઇ સુવા પેરોલ ફર્લો સ્કોવડ (૭) UASI અશ્વિનકુમાર ભગવાનજીભાઇ ગંધા એલ.સી.બી. જામનગર વાળાઓને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવેલ. જે બાબતે પોલીસ અધિક્ષક પ્રેમસખ ડેલુ તથા નાયબ પોલિસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા દ્વારા સ્ટાર સેરેમની રાખી નિમણૂંક આપવામાં આવેલ જેથી પોલિસ બેડામાં આંનદની લાગણી છવાઈ હતી