જામનગરમાં ખોડીયાર કોલોનીમાં એક શિક્ષકના મકાન માં થયેલી ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ
-
તસ્કરોને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા ગુન્હા શોધક શ્વાન તેમજ સીસીટીવી કેમેરાની મદદ લેવાઇ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ ફેબ્રુઆરી ૨૫, જામનગરમાં ખોડીયાર કોલોની નજીક દિવ્યમ પાર્ક વિસ્તારમાં રહેતા એક શિક્ષકના મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી ૧૦ તોલા સોનું અને ૧.૧૫ લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હતા, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે ગુન્હા શોધક શ્વાન તેમજ ફોરેન્સિક નિષ્ણાતની પણ મદદ લીધી છે.