ધ્રોલના ચકચારી દિવ્યરાજસિંહ હત્યા કેસના મુખ્ય કાવતરાખોરની જામીન અરજી હાઇકોર્ટમાંથી પરત ખેંચાઇ

0
2649

ધોલના ચકચારી દિવ્યરાજસિંહ હત્યા કેસના મુખ્ય કાવતરાખોરની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાંથી પરત ખેંચાઇ..

દિવ્યરાજસિંહ જાદુવિરસિંહ જાડેજા ની સરાજાહેર હત્યા કરાઇ હતી તેમાં મુખ્ય કાવતરા ખોર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજાની કાવતરામાં મદદગારી ખુલી હતી..

દેશદેવી ન્યુઝ-જામનગર ર૩. ધ્રોલના ત્રીકોણ બાગ પાસે ગત તારીખ : 06/03/2020 ના રોજ ધ્રોલના રહેવાસી દિવ્યરાજસિંહ જદુવીરસિંહ જાડેજા ઉપર બપોરે 1.00 વાગ્યાના સમયે સરાજાહેર ત્રણ શખ્સોએ આડેધડ ફાયરીંગ ડરી 7 ગોળી મારી હત્યા નિપજાવી હતી. જે બનાવ અંગે મરનાર દિવ્યરાજસિંહ ના મીત્ર જયદિપસિંહ જાડેજા દ્વારા અનિરૂધ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ તથા અન્ય બે અજાણ્યા શાર્પ શુટર તથા તપાસમાં ખુલે તે અન્ય શપ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ.

જે બનાવની તપાસ દરમ્યાન પોલીસ દ્વારા અનિરૂધ્ધસિંહ સોઢા,  મુસ્તાક પઠાણ,  બે શાર્પ શુટર અખીલેશસિંહ ઠાકુર, રોહીતસિંહ ઉર્ફે સોનુસિંહ ઠાકરની ધરપકડ કરવામાં આવેલ તથા દિવ્યરાજસિંહની હત્યા કરવા માટે સોપારી આપવા અંગેની હકીકત તપાસના આધારે ખુલેલી હોય, મુખ્ય કાવતરા ખોર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજાની તેમજ કાવતરામાં મદદગારી અંગે નરેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવેલ તથા નામદાર કોર્ટમાં ચાજશીટ રજુ કરવામાં આવેલ.

ઉપરોકત્ત આરોપી પૈકી મુખ્ય કાવતરાખોર તથા સોપારી આપનાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા દ્વારા જામીન મુક્ત થવા માટે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં તેમનાં વડીલ મારફત જામીન અરજી દાખલ કરવામાં આવેલ.

જે જામીન અરજી સામે મુળ ફરિયાદી જયદિપસિંહ જાડેજા દારા તથા મરણ જનારના પિતાશ્રી જદુવીરસિંહ જાડેજા દ્વારા તેમના વકીલશ્રી એન. જે. શર્મા તથા સિનીયર કાઉન્સીલ આઇ. એન. સૈયદ મારફત જામીન અરજીનો લેખીત વિરોધ કરવામાં આવેલ, તથા આ કામનાં આરોપી મુખ્ય કાવતરાખોર હોય, બહારથી ભાડુતી હત્યારાઓને રૂપીયાના બદલામાં દિવ્યરાજસિંહની હત્યા માટે લાવવામાં આવેલ હોય, તથા બનાવ બન્યા બાદ આરોપી 6 (છ) મહિના સુધી ભાગતા ફરતા હોય, તથા જામીન મુકત થયેથી સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તે પ્રકારની શક્યતા હોય તેવા તમામ કારણોસર જામીન મુકિત સામે વાંધા લેવામાં આવેલ હોય, જે હકીકત રેકર્ડ પર આવતાં આરોપી ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા ના વકીલ દ્વારા જામીન અરજી પરત ખેંચવામાં આવી હતી.

આ કામમાં મુળ ફરિયાદી જયદિપસિંહ જાડેજા તરફે સીનીયર કાઉન્સીલઆઇ. એસ. સૈયદ, એન. જે. શર્મા તથા જામનગરના ધારાશાસ્ત્રી તરીકે નિખીલ બી. બુધ્ધભટ્ટી, પાર્થ ડી.સામાણી – રોકાયા હતાં.