રાજ્યમાં ત્રીજી લહેરમાં પહેલીવાર 8 ના મોત: જામનગરનોં સમાવેશ.

0
1523

રાજ્યમાં ત્રીજી લહેરમાં પહેલીવાર 8 ના મોત, 10 હજાર 150 નવા કેસ; અમદાવાદમાં સૌથી વધુ 3 હજાર 115 કેસ..જામનગરમાં આજે 162 નવા કેસની સામે 41 સાજા થયા હતા..

અમદાવાદ, ભાવનગર અને સુરતમાં 2-2 વડોદરા અને તાપીમાં 1-1નું મોત..જામનગરમાં ચંદુબા મૂળુભા જેઠવાના મોતના અહેવાલ.!દેશ દેવી ન્યુઝ 16. ત્રીજી લહેરમાં પહેલીવાર રાજ્યમાં 8 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. ગઈકાલે 7 લોકોના મોત થયા હતા. બે દિવસમાં જ 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં ઉત્તરાયણના તહેવાર બાદ ફરી કેસમાં વધારો થયો છે. બે દિવસ રાજ્યમાં કેસ ઘટ્યા હતા.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10 હજાર 150 નવા કેસ નોંધાયા છે અને 6 હજાર 96 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં 3 હજાર 115 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 92.04% છે.