જામનગર રણજીતસાગર ડેમમાંથી ”કડીયા” યુવાનનો મૃતદેહ સાંપડ્યો

0
1680

જામનગરના રણજીતસાગર ડેમમાંથી યુવાનનો મૃતદેહ સાંપડ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર: તા. o૩ મે. ૨૩ જામનગરના રણજીતસાગર ડેમમાંથી ગઈકાલે બપોર બાદ એક મૃતદેહ પાણીમાં તરતો હોવાની માહિતીના આધારે દડીયાના ગ્રામજનોએ મૃતદેહ ને બહાર કાઢી પંચકોષી બી. ડિવિઝન પોલીસને સુપ્રત કર્યો હતો, જે મૃતકનું જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયા પછી મૃતદેહને ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલના ફોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો.

દરમિયાન મૃતકની ઓળખ થઈ છે, અને મૃતક યુવાન નું નામ હિરેન વસંતભાઈ ખેતાણી ઉંમર વર્ષ 32 અને જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાન માનસિક રીતે અસ્થિર હોવાનું અને તેની દવા ચાલતી હોવાનું જાણવા મળ્યું હતું. જે રવિવારે સવારે પોતાના ઘેરથી નીકળ્યા પછી લાપત્તા બન્યો હતો. દરમિયાન ગઈકાલે તેનો મૃતદેહ સાંપડ્યો છે.