સરમતમાં દરબાર યુવાન પર દરબારનો હુમલો: 4 સામે ફોજદારી

0
4970

જામનગરના સરમતમાં નજીવી બાબતે યુવાન પર 4 શખ્સોનો જીવલેણ હુમલો

સરમતમાં શક્તિસિંહ ઉર્ફે સંદિપસિંહ નટુભા જેઠવા નામનો યુવાન મંદિરે આરતી કરી આવતા 4 શખ્સોએ રસ્તામાં રોકીને મરણતોલ માર મારતા નાસભાગ મચી જવા પામેલ હતી.

આરોપી :- ( ૧ ) વિશ્વજીતસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (૨) પૃથ્વીરાજસિંહ ભરતસિંહ જાડેજા (૩) જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા ( ૪ ) મહિપતસિંહ ભવાનસિંહ જાડેજા રહે બધા સરમત ગામ તાજી જામનગરદેશ દેવી ન્યુઝ જામનગર 05. જામનગર નજીકના સરમત ગામમાં જૂની અદાવતની મનદુખનો ખાર રાખી શક્તિસિંહ ઉર્ફે સંદિપસિંહ નટુભા જેઠવા નામના યુવાન પર ચાર શખ્સો ટુટી પડ્યા દેકારો બોલી ગયો હતો.

જામનગર નજીકના સરમત ગામની હાઇસ્કુલ પાસે રહેતા શક્તિસિંહ ઉર્ફે સંદિપસિંહ નટુભા જેઠવા નામના યુવાનને આરોપીના કાકા સાથે બે દિવસ પહેલા સામાન્ય બાબતમાં ઝગડો થયો હતો અને બાદમાં મોટાવની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો જે બાબતનો ખાર રાખી ગઇકાલ રાત્રે શક્તિસિંહ ગાત્રાળ માતાજીના મંદિરે આરતી કરી પોતાના ઘરે પરત જતા હોય તે દરમિયાન ઉપરોક્ત આરોપીઓએ ફરિયાદી શક્તિસિંહને રોકી ભૂંડી ગાળો આપી આરોપી વિશ્વજીતસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ ફરિયાદીના માથાના ભાગે પાઇપનો ઘા ફટકારી દેતા યુવાન ઢળી પડ્યો હતો બાદમાં સાથે રહેલા તથા આરોપી નંબર ૨,૩ અને ૪ વાળાઓએ ઢિકા પાટુંનો મરણતોલ માર મારી એક બીજાની મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છુટ્યા હતા.નાના એવા ગામમાં યુવાન ઉપર હિચકારા હુમલાને લઈ લોકોના ટોળા એકઠા થયા હતા ઇજાગ્રસ્ત શક્તિસિંહ ઉર્ફે સંદિપસિંહ નટુભા જેઠવાને લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને સમગ્ર બનાવ અંગેની વિગત મેળવી આરોપીની શોધખોળ આદરી હતીયુવાનની ફરિયાદ પરથી સિક્કા પોલીસે IPC કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ ( ૧ મુજબ ગુનોં નોંધી આગળની તપાસ હે. કોન્સ.ડી.બી ગાંભવા ચલાવી રહ્યા છે.