જામનગર નાધેડી પાસે CO ચેકિંગના બબાલ પ્રકરણમાં ‘કિશોર રાદડીયા’ સામે વળતી ફરીયાદ

0
4238

જામનગર નજીક નાઘેડી પાસે ખાનગી ટ્રાવેલ્સના સંચાલક અને સુરક્ષા મદદનીશ વચ્ચે મારામારી પ્રકારણ માં વળતી ફરીયાદ નોંધાઈ 

  • બે દિવસ પહેલા એસટી અને આરટીઓના ચેકિંગ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સ સંચાલકે હુમલો કરી ફરજ મા રુકાવટ કર્યા અંગે ની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

  • મહાવીરસિંહ રાણાએ પોતાનાં પર અને તેના ભાઈ પર હુમલો કર્યાં ની વળતી ફરીયાદ નોંધાવતા ભારે ચકચાર મચી છે

  • કિશોર રાદડીયાની જોહુકમી સામે ટ્રાવેલ્સ એસોસીએયશને કલેક્ટર અને જીલ્લા પોલિસ વડાને આવેદન પાઠવ્યું હતું.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ જુન ૨૪, જામનગર નજીક નાઘેડી પાસે આરટીઓ અને એસટી વિભાગ ના CO ચેકિંગ વેળએ ખાનગી ટ્રાવેલ્સ સંચાલક અને મદદનીશ નિયામક કિશોર રાદડીયા વચ્ચે બબાલ થઈ હતી જેમા બંન્ને વચ્ચે જપા જપી થતા સામસામી ઇજા થતા બંને ને જી જી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે ઇજાગ્રસ્ત અધિકારીને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. તેમા કિશોર રાદડિયાએ પોતાના પર હુમલો કરી માર માર્યાં  ફરીયાદ નોંધાવી હતી આ સમગ્ર પ્રકારણ ટ્રાવેલ્સ સંચાલક મહાવીર સીંહ રાણાએ વળતી ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે બુધવારે એસટીના વિભાગીય કચેરીના સુરક્ષા મદદનીશ અધિકારી કિશોરભાઈ હરસુખભાઈ રાદડિયા તેમજ આરટીઓના અધિકારીઓ વગેરે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ચેકિંગ કરી રહ્યા હતા, જે દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલક મહાવીરસિંહ રાણા અને તેના ભાઈ દિકરાના લગ્ન હોય જેથી પાર્ટી પ્લોટ નુ નક્કી કરવા માટે ત્યાથી થઇ ને આશીર્વાદ રીસોર્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે નાઘેડી નજીક  આરટીઓ અને એસટી વિભાગ ના CO ચેકિંગ ચાલતું હતું ત્યારે ST મદદનીશ નિયામક કિશોરભાઇ રાદડીયા મહાવીર સિંહ અને તેના ભાઈને જોઈ કહેવા લાગેલ કે તમે મારૂ ધ્યાન રાખો છો , હુ મારી કામગીરી કરૂ છુ અને તમારી ગાડી તો હવે હાલશે જ નહી તેમ કહી જેમ ફાવે તેમ બોલવા લાગેલ જેથી ફરીયાદી મહાવીરસિંહ રાણાએ તેને કહેલ કે અમો તો આશીર્વાદ રીસોર્ટ જાઇએ છીએ , તેવામાં આરોપી કિશોભાઇ રાદડીયા એકદમ ઉશ્કેરાઇ જઇ મહાવીરસિંહ સાથે મારામારી કરવા લાગ્યો હતો જેમા મહાવીરસિંહ ને જમણા પગમા પોચાના ભાગે તથા જમણા હાથમા માર મારતા મહાવીરસિંહ રાણા અને તેના નાના ભાઇ ઇન્દ્રજીતસિંહને માથાના ભાગે તેમજ પેટના ભાગે તથા શરીરના ભાગે માર મારેલ મુંઢ ઇજાઓ થઈ હતી

તેવામાં હાજર પરના  આર.ટી.ઓ અધિકારીઓએ બંન્ને છોડાવેલ હતા ત્યારે જપા-જપીમાં કિશોર રાદડીયાને પણ મુંઢ ઇજા થઇ હતી જેથી બંનેને સારવાર માટે જી જી હોસ્પિટલ ખસેડાયા હતા હાલ પોલીસે બંનેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આ હુમલામાં મહાવીર સિંહે પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં કિશોભાઇ રાદડીયા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ -૩૨૩ અને ૧૧૪ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે વધુ તપાસ હાથ ધરી છે.