જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં જંગલી વેલ કાઢવા બાબતે બે પાડોશીઓ વચ્ચે તકરાર

0
1586

જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં જંગલી વેલ કાઢવા બાબતે બે પાડોશીઓ વચ્ચે તકરાર

દેશ દેવી ન્યુઝ જામનગર ૪ માર્ચ ૨૪, જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા વિપ્ર યુવાન પર જંગલી વેલ કાઢવા બાબતે પોતાના પાડોશી સાથે તકરાર થઈ હતી, અને એક મહિલા સહિત બે શખ્સોએ લોખંડના પાઇપ અને વાંસના બામ્બુ વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં બાલાજી પાર્કમાં રહેતા ગીરીશભાઈ પ્રેમજીભાઈ જોશી નામના ૫૦ વર્ષના વિપ્ર યુવાને પોતાના ઉપર લોખંડના પાઇપ અને વાંસના બાંબુ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા સુભદ્રાબેન સંજયભાઈ કુશવાહા અને સુધાંશુ કુશવાહા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન પોતાના ઘરની સામે આવેલ લીંબુના ઝાડમાં રહેલી જંગલી વેલ કાઢવાનું કામ કરી રહ્યો હતો, જે દરમિયાન પાડોશીઓએ આવીને તકરાર કર્યા પછી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.