કડિયાવાડની બ્રાહ્મણ પરણિતાએ સાસરીયા સામે દુ:ખ ત્રાસ આપ્યાની નોંધાવી ફરીયાદ.

0
636

જામનગરના કડિયાવાડ વિસ્તારની પરણિતાએ સાસરીયા સામે દુ:ખ ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી..

દહેજ, મારકુટ અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૩. મહિલા પોલીસ સ્ટેશનમાં યજુર્વેદી ભાવેશભાઈ દયાશંકર પાઠક, ડો/ઓ. હિતેશ્વરાય પંડયા, ઉ.વ. 28, રે. કડીયાવાડ ચોરા પાસે, મોટી પીપળા શેરી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે.

તા.4-2-2020 થી આશરે ચારેક માસ સુધી અવાર-નવાર પતિ ભાવેશ દયાશંકર પાઠક, સસરા દયાશંકર ઉર્ફે દિપેન અંબાશંકર પાઠક, સાસુ – પ્રવિણાબેન દયાશંકર પાઠક, નણંદ -દેવર્ષી ઉર્ફે દયુ દયાંશકર પાઠક, નણંદ- રિઘ્ધીબેન હાર્દિપ કુમાર વ્યાસ, નણંદ – જીજ્ઞાશાબેન દયાશંકર અંબાશંકર પાઠક,  જવાલા દયાશંકર પાઠક, રે. અમરેલી વાળા ફરીયાદી યજુર્વેદીબેનને લગ્ન જીવનના ચાર માસ દરમ્યાન નાની નાની બાબતમાં શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તુ દહેજ માં કાંઈ લાવી નથી તેમ કહી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.