જામનગર બર્ધનચોકમાં એસ્ટેટ શાખાની ટીમ અને પથારાવાળા વચ્ચે ઘર્ષણ : જુવો VIDEO

0
4597

જામનગર બર્ધનચોકમાં એસ્ટેટ શાખાની ટીમ અને પથારાવાળા વચ્ચે ઘર્ષણ : ઉગ્ર બોલાચાલી

  • વારંવાર એક જ વિસ્તારને ટાર્ગેટ કરતી એસ્ટેટ શાખાની કામગીરી સામે ઉઠતા પ્રશ્ન.!
  • સાસકપક્ષના નેતા કુસુમબેન પંડ્યાની પથારા હટાવા માટે થોકબંધ ફરીયાદો હતી : એસ્ટેટ ઓફિસર નિતીન દિક્ષીત
  • પોલીસ સમયસર ન આવી હોત તો મોટી ઘટના ઘટી જાત : દબાણ નિરીક્ષક યુવરાજસિંહ ઝાલા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૩ મે. ૨૩ જામનગર બ્રર્ધન ચોક વિસ્તારમાં એસ્ટેટ શાખા અને પથારાવાળા વચ્ચે દબાણ હટાવ કામગીરી વેળાએ ડખ્ખો થતા વાતાવરણ તંગ બન્યું હતું, અને ચકમકના દ્રશ્યો સર્જાયા હતા. વારંવાર એક જ વિસ્તારને ટાર્ગેટ કરતી એસ્ટેટ શાખાની કામગીરી સામે વેપારીઓએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો તેવામાં દેકારો બોલી જતા એસ્ટેટ ઓફિસર સહિતના કર્મીઓનો ધેરાવ થતા ભારે અફડાતફડી મચી ગઈ હતી.

સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર શહેરના બ્રધન ચોક વિસ્તારમાં એસ્ટેટ શાખાની કામગીરીને લઈ પથારાવાળા અને એસ્ટેટ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ક્ષણવારમાં લોકોના ટોળાઓ એકઠા થતા વાતાવરણ તંગ બન્યું હતું તેવામાં દબાણ નિરીક્ષક યુવરાજસિંહ ઝાલાએ સમય સૂચકતા દાખવી સીટી-એ ડિવિઝન પોલીસને જાણ કરતા કાફલો દોડી આવ્યો હતો જેને લઈ મોટી ધટના સહજમાં અટકી હતી વારંવાર એક જ વિસ્તારને ટાર્ગેટ કરતી એસ્ટેટ શાખાની કામગીરી સામે અનેક પ્રશ્ન ઉઠ્યો છે.! તો બીજી તરફ પેટીયુ રડી ગુજરાન ચલાવતા નાના વેપારી ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ભારે કચવાટ ફેલાયો હતો એક તરફ કેન્દ્ર સરકાર લારી ગલ્લા ધારકોને પગભર કરવા સ્વ નિધિ યોજના અમલમાં મૂકી રહી છે. તો બીજી તરફ આડેધડ લારી- પથારાઓ જપ્ત કરાતા નાના વેપારીઓમાં નારાજગી જોવા મળી છે.

વેપારીઓનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં વ્યાજથી રૂપિયા લાવી ધંધો કરી રહ્યા છે. છતાં બર્ધનચોક ને જ ટાર્ગેટ કરવામાં આવે છે. ફક્ત આજ વિસ્તારમાં ભેદભાવ રાખી કોર્પોરેશન કાર્યવાહી કરાતા પડતા પર પાટુ સમાન ઘાટ સર્જાય છે. તંત્ર એ આ બાબતની ગંભીરતા સમજી રાહત આપવી જોઈએ.