સંગઠનના ચાણક્યા ભીખુ દલસાણિયાની બિહાર ભાજપના સંગઠન મહામંત્રી પદે નિયુક્તિ

0
332

સંગઠનના ચાણક્યા ભીખુ દલસાણિયાની બિહાર ભાજપના સંગઠન મહામંત્રી પદે નિયુક્તિ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ગાંધીનગર: રાષ્ટ્રીય સ્વયંમૃ સેવક સંઘના પ્રચારક અને ગુજરાત ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

ભીખુભાઈ દલસાણીયાને બિહાર ભાજપના સંગઠન મહામંત્રી બનાવાયા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા ભીખુભાઈ દલસાણિયાની બિહાર ભાજપના સંગઠન મહામંત્રી પદે નિયુક્તિ કરવામાં આવી છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરીને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ મનાતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દીધા હતા.

ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે.