જામનગરમાં વિક્ટોરીયા પુલ પાસે” રેસ્ટોરન્ટ સંચાલક” પર હુમલાના CCTV ફૂટેજ આવ્યા સામે: જુવો VIDEO

0
9683

જામનગરમાં લુખ્ખા તત્વો બેફામ : રેસ્ટોરન્ટ સંચાલક ઉપર હુમલાના CCTV ફૂટેજ આવ્યા સામે.

  • જમવાનું દેવા બાબતે ત્રણ શખ્સો રેસ્ટોરન્ટ સંચાલક કરન રબારી ઉપર ટુટી પડ્યા હતા.
  • લુખ્ખા ત્રિપલ સવારીમાં બાઈક પર આવી ખુલ્લી છરી સાથે આંતક મચાવ્યો.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ જાન્યુઆરી ૨૩ જામનગરના વિક્ટોરીયા પુલ પાસે જ્ય ભોલે રેસ્ટોરન્ટના સંચાલક ઉપર ત્રણ લુખ્ખા શખ્સોએ ખૂલ્લી છરી સાથે બાઈક પર આવી જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. અચાનક હુમલાના પગલે નાશભાગ મચી જવા પામી હતી. અને સંચાલકને લોહીલુહાણ હાલતમાં જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેના પર સર્જરી કરી સારવાર અપાઈ હતી હુમલાના CCTV ફૂટેજ સામે આવતા પોલિસ પણ એક્શનમાં આવી છે.

જામનગર માં ગુલાબનગર નજીક મોહનનગરમાં રહેતા અને નાગનાથ ગેટ વિસ્તારમાં રેસ્ટોરન્ટ ચલાવતા એક વેપારી યુવાન પર પાર્સલના પ્રશ્નને ઝગડો થયા પછી ત્રણ શખ્સો એ છરી વડે હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના મોહનનગરમાં રહેતા અને નાગનાથ ગેઇટ વિસ્તારમાં જય ભોલે રેસ્ટોરન્ટ નામની દુકાન ચલાવતા કરણભાઈ જેરામભાઈ બધેલ નામના વેપારીએ પોતાના ઉપર છરી અને ધોકા વડે હજ્ઞમલો કરી ઇજા પહોંચાડવા અંગે જીતેન્દ્ર ઉર્ફે લાલો બારીયા, નિલેશ ગુજરીયા, અને તેના એક સાગ્રીત સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારીને પાર્સલ ના મામલે આરોપી જીતેન્દ્ર લાલા સાથે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ પોતે અન્ય સાગરીતો ને લઈને બીજી વખત આવ્યો હતો, અને છરી અને ધોકા વડે ઇજા પહોંચાડતાં તેને ટાંકા લેવા પડ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.