જામનગરમાં ગુર્જર સુથાર જ્ઞાતિની ઓફિસમાં જ્ઞાતિના જ શખ્સનો હંગામો : ટ્રસ્ટીને ઝાપટો ઝીંકી દીધી

0
5528

જામનગરમાં ગુર્જર સુથાર જ્ઞાતિની કચેરીમાં જ્ઞાતિના જ શખ્સનો હંગામો

  • ટ્રસ્ટી પર હુમલો કર્યા બાદ ટ્રસ્ટની ઓફિસમાં તોડફોડ કરી બારીના કાચને નુકસાન પહોંચાડ્યા ની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ ઓક્ટોબર ૨૪, જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી ગુર્જર સુતાર જ્ઞાતીની વાડીમાં જ્ઞાતિના જ એક શખ્સ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો. જ્ઞાતિના ટ્રસ્ટી દયાજીભાઈ મોહનજીભાઈ ભારદીયા (મામા) (ઉંમર વર્ષ ૬૨) કે જેઓ ઓફિસમાં પહોંચતા ત્યાં અંદર જ્ઞાતિનોજ ધર્મેન્દ્ર જાદવજીભાઈ ભારદિયા નામનો શખ્સ હાજર હતો.તે ઓફિસમાં શા માટે આવ્યો છે, તેમ પૂછતાં પોતે ઉસ્કેરાયો હતો, અને ઓફિસમાં હંગામો મચાવી ટ્રસ્ટીને મારકૂટ કરી દીધી હતી. આ ઉપરાંત તેણે વધુ હંગામો મચાવીને ટ્રસ્ટની ઓફિસની બારીનો કાચ તોડી નાખી રૂપિયા ૧,૦૦૦ નું નુકસાન પહોંચાડ્યું હતું. જેથી આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ટ્રસ્ટી દયાળજીભાઈ દ્વારા હુમલાખોર ધર્મેન્દ્રભાઈ ભારદિયા સામે BNS કલમ ૧૧૫(૨),૩૫૨,૩૫૧(૩),૩૨૪(૩) મુજબ ફરિયાદ નોંધાવી છે.