જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

0
1506

જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આગામી ૧૨મી જુલાઈ ના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે

  • યુપીએસસી-જીપીએસસી-સીસીઇ- પીએસઆઇ અને કોન્સ્ટેબલ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે દર્શન અપાશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ જુલાઈ ૨૪, જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આગામી તારીખ ૧૨ જુલાઈ ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટર માં આવેલા પોલીસ તાલીમ ભવનમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં યુપીએસસી, જીપીએસસી, સીસીઇ, પીએસઆઇ અને કોન્સ્ટેબલ વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે.

આ માર્ગદર્શન સેમિનારમાં જોડાવા ઇચ્છતા નગરજનોએ આગામી ૧૨મી જુલાઈએ સવારે ૧૦.૩૦ પહેલાં પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ તાલીમ ભવનમાં ઉપસ્થિત રહેવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા અનુરોધ કરાયો છે.