જામનગરમાં બે મૃત પાકિસ્તાની નાગરિકોની દફનવિધિ : અન્ય એક મૃતદેહને પાકિસ્તાન રવાના કરાયો

0
616

જામનગરમાં બે મૃત પાકિસ્તાની નાગરિકોની સેવાભાવી સંસ્થા દ્વારા દફનવિધિ : અન્ય એક મૃતદેહને પાકિસ્તાન રવાના કરાયો

જામનગર : જામનગરની જીજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રહેલ પાકિસ્તાની નાગરિકના મૃતદેહને લાંબા ગાળા બાદ પાકિસ્તાન લઇ જવાયો છે. બંને દેશ વચ્ચે લાંબો સમય કાયદાકીય પ્રક્રિયા ચાલ્યા બાદ ગઈ કાલે મૃતકના દેહને પાકિસ્તાન તરફ રવાના કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જામનગર જી.જી હોસ્પિટલના કોલ્ડરૂમમાં લાંબા સમયથી રાખવામાં આવેલા બે પાકિસ્તાની નાગરિકોના મૃત્યુદેહોની જામનગરની સેવાભાવી સંસ્થા દ્વારા મુસ્લિમ શરિયત મુજબ દફનવિધિ કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં અ ા ઈ . અ ે મ . બ ી . અ ે લ . ન ી વિસંગતતાઓને લીધે ભારત- પાકિસ્તાનના માછીમારો એકબીજાની સરહદ ઓળંગી જતા હોય છે. જેની સામે બંને દેશની સુરક્ષા એજન્સીઓ કાર્યવાહી કરતી હોય છે. આવા સરહદ ભંગ કરનાર અનેક શખ્સો એકબીજા દેશની જેલમાં છે. આવા જ એક મુળ પાકિસ્તાનના તગજી ઉર્ફે મનવર રાવતાભાઈ હોથીમલનુ ભુજની જેલમાં ત્રણ માસ પહેલાં મૃત્યુ થયુ હતું.

પાકિસ્તાનના નગરપારકર, જી લ્લો – થ રપાર ક ર , સિંધપ્રાંત(પાકિસ્તાન)ના શખ્સનું 15 એપ્રિલ 2021ના રોજ મૃત્યુ થયા બાદ તેના મૃતદેહને જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે લઇ આવવામાં આવ્યો હતો.

ત્યારબાદ મૃતદેહને કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો. જે પાકિસ્તાની શખ્સના મૃત્યુ બાદ બંને દેશ વચ્ચે કાયદાકીય કાર્યવાહી પ્રક્રિયા લાંબી ચાલી હતી, અને ત્રણેક માસ બાદ અંતે પાકિસ્તાન દ્વારા મૃતકનો સ્વીકાર કરવા લીલી ઝંડી આપવામાં આવી હતી, ગઈ કાલે તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલા મૃતદેહને પાકિસ્તાન તરફ રવાના કરવામાં આવ્યો હતો. આજે મૃતકને પજાંબના વાઘા બોર્ડર પર પાકિસ્તાનને સોપવામાં આવેલો છે.

આ ઉપરાંત અન્ય બે પાકિસ્તાનીઓની જામનગરમાંજ સેવાભાવી સંસ્થા મોક્ષ ફાઉન્ડેશન દ્વારા જામનગરના કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. પાકિસ્તાની માછીમાર સૈયદ અબ્દુલ રહેમાન તેમજ અરબાઝ મિસરી ફકીર નામના બે કેદીઓના મૃતદેહને જામનગરની જી.જી. હોસ્પીટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યા હતા.

જે બંને દેશની કાનૂની પ્રક્રિયા બાદ બંને મૃતકોના જામનગરમાં જ અંતિમવિધિ કરવામાં આવી છે.
જામનગરની સેવાભાવી સંસ્થા મોક્ષ ફાઉન્ડેશનના મુખ્ય ટ્રસ્ટી અને પ્રમુખ વિક્રમ સિંહ ભિખુભા ઝાલા ઉપરાંત હિતેશગીરી ગોસાઈ, બસીરભાઈ સફીયા, ઘનશ્યામસિંહ રાઠોડ વગેરે દ્વારા ઢોલીયા પીરની દરગાહમાં દફનવિધિ કરવામાં આવી હતી.
આ વેળાએ નવી વાસના મુંજાવર મહંમદ ફારૂક હાજર રહ્યા હતા, અને અંતિમ વિધિ કરાવી હતી. સરકારી પ્રોટોકોલ મુજબ જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી તથા પોલીસ વિભાગની ટીમ પણ દફનવિધિ સમયે હાજર રહી હતી. અરબાઝ મિસરી ના મૃતદેહને છ માસ થી અને સૈયદ અબ્દુલના મૃતદેહને ડીસેમ્બર માસથી જી.જી. હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જે બંન્નેના મૃતહેદની અંતિમવિધી માટેની મંજુરી પ્રક્રિયા બંને દેશ વચ્ચે થઇ જતાં જામનગરની મોક્ષ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દફન વિધિ કરવામાં આવી હતી.