નિર્દયતાએ હદ વટાવી: ગોકુલનગરમાં સગર્ભા મહિલાને પેટમાં લાતો મારી

0
4772

જામનગરમાં સગર્ભા મહિલા અને અને તેના પતિ ઉપર હિચકારો હુમલો, ચાર સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬ મે ૨૩: જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી પ્રફુલાબા સંજયસિંહ ચુડાસમા નામની 23 વર્ષની સગર્ભા મહિલાએ પોતાને પેટના ભાગે લાત મારી ગંભીર ઇજા પહોંચાડવા અંગે તેમ જ પોતાના પતિ સંજયસિંહ ચુડાસમા ઉપર હુમલો કરવા અંગે રામદેવ ચાવડા અને તેના ત્રણ અજાણ્યા સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાને પેટના ભાગે ઇજા થઈ હોવાથી દુ:ખાવો ઉપડતાં તેણીને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેણીની સારવાર ચાલી રહી છે.

આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝન નો પોલીસ સ્ટાફ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને પ્રફુલાબા ની ફરિયાદના આધારે રામદેવ ચાવડા અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે ગુનો નોધ્યો છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અને પ્રફુલાબા તેના પતી સંજય સિંહ સાથે ગઈકાલે રાત્રે પોતાના ઘરના દરવાજા પાસે બેઠા હતા, તે દરમિયાન આરોપી રામદેવ ચાવડા પોતાનું બાઈક ફુલ સ્પીડમાં લઈને પસાર થતાં તેને ઠપકો આપ્યો હતો જેથી મનદુ:ખ રાખીને અન્ય ત્રણ સાગરીતોને લઈને ફરીથી પાછો આવ્યો હતો, અને આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર કરાયું છે.

આથી સીટી-સી પોલીસે IPC કલમ-૨૭૯, ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી  ચારેય આરોપીઓને શોધી રહી છે.