જામનગરના મોરકંડામાં કોળી યુવાનની કરપીણ હત્યા

0
4782

જામનગરના મોરકંડા પંથકની ધારી પાસે કોળી યુવાનની કરપીણ હત્યાથી અરેરાટી

  • હત્યારાઓની ભાળ મેળવવા પોલીસ ઉંદ્યા માથે
  • પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાની શોધખોળ આદરી.
  • પ્રમ પ્રકરણ કે જૂની અદાવત કારણભૂત છે કે કેમ.? તે દિશામાં સધન તપાસ.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩ સપ્ટેમબર ૨૨ જામનગર શહેર નજીક આવેલા મોરકંડા ધારી વિસ્તારમાં કોળી હત્યાની ઘટના બની હોવાના સમાચાર મળતા પંચ – બી પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા મૃતક યુવાન જામનગર ગોકુલનગરનો રહીશ હોવાનું ખુલ્યું હતું. જેને લઇ પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતીઆ મૃતદેહને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો . પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત થતી પ્રાથમિક માહિતી અનુસાર જામનગર પાસે આવેલા મોરકંડા ધાર વિસ્તારમાં એક મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા શુક્રવારે રાત્રે પંચ – બી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવીને તપાસ આરંભી હતી .

પોલીસ તપાસમાં મૃતક યુવકનું નામ સુરેશ ઉર્ફે ગડો રમેશભાઈ મકવાણા ( ઉ.વ. 24 ) હોવાનું ખુલ્યું હતું ,અને સુરેશ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારનો રહેવાસી હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું . સુરેશના માથા અને મોઢાના ભાગ પર બોથડ પદાર્થના ઘા મારીને હત્યા નીપજાવવામાં આવી હતી.પોલીસે ઘટના સ્થળે પંચનામુ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને હત્યારાના સગડ દબાવ્યા હતા. ગ્રામ્ય Dyspની રાહબરી હેઠળ PSI જપદિપસિંહ પરમાર અને તેની ટીમે મોડીરાત્રે પંચ – બી પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 302 મુજબ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.