જામનગરના બંને ધારાસભ્યએ શ્રી બાલા હનુમાન મંદિરે સફાઇ વડે કરી શ્રમસેવા

0
1509

જામનગર શહેર ના બન્ને ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ શ્રી બાલા હનુમાન મંદિરે સફાઇ વડે કરી શ્રમસેવા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ જાન્યુઆરી ૨૪ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરનાં મંદિરોમાં સફાઇ અભિયાન હાથ ધરવા નેતાઓને આહ્વાન કર્યુ છે ત્યારે ‘છોટીકાશી’ કહેવાતા જામનગરમાં સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરે ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા રીવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા સહિતનાં આગેવાનો દ્વારા સફાઇ કરવામાં આવી હતી.નેતાઓ દ્વારા ઝાડુ લઇ મંદિર પટાંગણને સ્વચ્છ બનાવી શ્રમસેવા કરી વડાપ્રધાનનાં સંદેશને ચરિતાર્થ કરવામાં આવ્યો હતો. આવેળા એ શહેર ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો – કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા, અને બાલા હનુમાનજી મંદિર પરિસરમાં શ્રમદાન કર્યું હતું.