જામનગરમાં ભાજપના કોર્પોરેટર નાં પિતાનું વીજ શોક થી નિધન

0
7547

જામનગરમાં ભાજપના કોર્પોરેટર નાં પિતા નું વીજ શોક થી નિધન

 દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ર જુલાઈ ૨૪, જામનગર નાં ભાજપ નાં કોર્પોરેટર નાં પિતા નું આજે વીજ આંચકો લાગતાં મૃત્યુ થયું છે. આ સમાંચાર સાપડતાં જ ભાજપ ના આગેવાનો અને કેટલાક કોર્પોરેટરો હોસ્પિટલ અને તેમજ નિવાસસ્થાને પહોંચ્યા હતા. જામનગર મહાનગપાલિકા ના વોર્ડ નંબર ૧૬ નાં.ભાજપ નાં કોર્પોરેટર પાર્થભાઈ કોટડીયા ના પિતા પરસોત્તમભાઈ નું આજરોજ વીજ શોક લાગવા થી અવસાન થયું હતું

તેઓ આજે બપોરે પોતાના કારખાને હતા ત્યારે અકસ્માતે તેઓ ને વીજ શોક લાગ્યો હતો. જેમાં તેઓ નું મૃત્યુ થયું હતું. આ બનાવ ની જાણ થતા જ મેયર વિનોદ ખીમસૂર્યા સહિત નાં ભાજપ નાં આગેવાનો અને કેટલાક કોર્પોરેટરો હોસ્પિટલ અને તેમના નિવાસસ્થાને દોડી ગયા હતા. તેઓની અંતિમ યાત્રા આજે રાત્રે તેઓના નિવાસસ્થાન મંગલમ એપાર્ટમેન્ટ શેરી નં. ૫ પટેલ પાર્ક ખાતે થી નીકળી હતી.