જામજોધપુરના બાલવા ગામે કૂવામાં દીપડો ખાબક્યો : વનવિભાગનું રેસ્ક્યું

0
2129

જામજોધપુરના બાલવા ગામના કૂવામાં દીપડો ખાબક્યો; વન વિભાગે રેસ્કયું કરી બહાર કાઢ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૩ મે ૨૪, જામનગર જિલ્લા નાં જામજોધપુર તાલુકા નાં બાલવા ગામ ની સીમ માં ખુલ્લા કુવા મા દીપડો પડી ગયો હતો..બનાવ ની જાણ થતાં જ વન વિભાગ ની ટીમ દોડી ગઈ હતી.અને રેસ્ક્યું કરી દીપડા ને બહાર કાઢી લીધો હતો.

જામજોધપુર પંથક મા દીપડા નાં આંટાફેરા હોવા નું લાંબા સમય થી સાંભળવા મળતું હતું.પરંતુ દીપડા નાં સગડ મળતા ન હતા. દરમ્યાંન તાલુકા નાં બાલવા ગામ ની સીમ માં એક ખેડૂત ની વાડી નાં કુવા મા દીપડો ખાબક્યો હતો. આ અંગે ની જાણ થતાં જ વન વિભાગ ની ટુકડી સાધન સામગ્રી સાથે બાલવા ગામે દોડી ગઈ હતી, અને કુવા માં ખાટલો ઉતારી દીપડા નું રેસક્યું કરી સલામત બહાર કાઢ્યો હતો. આવેલા એ ગામના લોકોનો ટોળું એકત્ર થયું હતું.