જામનગરના ગુરુદ્વારામાં વૈશાખી પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

0
806

જામનગરના ગુરુદ્વારામાં વૈશાખી પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ: શીખ-સિંધી સમાજના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં જોડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ એપ્રિલ ૨૪ જામનગરમાં ગુરુદ્વારા ખાતે વૈશાખી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શીખ, સિંધી સમાજના ભાઈઓ-બહેનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ જોડાયા હતા.  જામનગરના  ગુરુદ્વારા ગુરુ સિંઘ સભા માં વૈશાખી પર્વની હર્ષો ઉલ્લાસથી ઉજવણી થઈ હતી. જે અંતર્ગત આજે ગુરુદ્વારા માં સવારે ૧૦.૩૦ વાગે સેહજ પાઠ સાહેબની સમાપ્તિ કરાઈ હતી.  અને ત્યારબાદ રાજસ્થાનના  ગંગાનગરના પ્રખ્યાત જ્ઞાની દિલીપસિંઘજી દ્વારા ભક્તો માટે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.  ત્યાર પછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યુ હતું.  જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુગ્રથ સાહેબને પ્રાર્થના કરી માથું ટેકવી ધન્યતા અનુભવી હતી.

પંજાબ ના આનંદપુર સાહેબ દ્વારા આજના દિવસે ખાલસા પંથ ની સ્થાપના થઇ હતી, અને આજે  વૈશાખીના દિવસથી પંજાબના ખેડૂત પોતાના ખેતરો માં  (ઘઉં ની ફસલ કાપવામાં) ઘઉં લણવાની શરૂઆત કરવામાં આવે છે, અને ખેડૂત ભગવાન પાસે પ્રાર્થના કરે છે. કે દેશના ખેડૂતનું આ વર્ષ ખુબ જ સારું જાય,  વૈશાખી પર્વમાં ગુરુદ્વારામાં  શબ્દ કીર્તન, અને કથા નું આયોજન કરવામાં  આવ્યુ  હતું.  ત્યારબાદ ‘ ગુરુકા લંગર’ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું.  જેમાં હજોરોની સંખ્યામાં લોકોએ દર્શન કર્યા હતા, અને જામનગરમાં ગુરુદ્વારા માં આ પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.