શંકર ટેકરીના નામીચા સખસ સહિત 3 સામે હત્યાની કોશિશની ફરીયાદ

0
3173

શંકર ટેકરીના નામીચા સખસ અને પૂર્વ નગરસેવીકાના પુત્ર સહિત ૩ સામે હત્યાની કોશીશ ની ફરીયાદ..

તું અમારા શેઠ વિરુદ્ધ ફરિયાદ કેમ કરસ તને મારી નાખવો છે તેમ કહી છરીના આડેધડ ધા મારી સુમીત વરાણીયા પર ટુટી પડયા..

બે દિવસ પહેલા વિજયભાઈ વરાણીયા સીટી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી..

અગાઉ કરેલ ફરિયાદનું મનદુઃખ કારણભૂત..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૩૦.જામનગર દિગ્વિજય પ્લોટ ૪૯માં સુકટરમાં જતા વિજયભાઇના ભત્રીજાને યુવરાજસિંહ મહોબતસિંહ કયોરના નામના શખસે ગાડી ઓવરટેક કરી ગાળો ભૂંડા બોલી કહેલ કે તમે અમારા શેઠ અનવર ખફી અને ઇકબાલ ખફી વિરુદ્ધ ફરિયાદ બહુ કરો છો હવે તને મારી નાખવો છે, તેમ ધમકી આપીને યુવરાજસિંહે પોતાના પાસે રહેલ છરી કાઢી વિજયભાઈ વરાણીયાના ભત્રીજા સુમિત વરાણીયા ઉપર માથાના અને કપાળના ભાગે, તેમજ ગરદનમાં આડેધડ છરીના ઘા મારી ખૂન કરવાના ઈરાદે ઇજા કરી નાસી છૂટયા હતા.

આડેધડ છરીના ઘા લાગવાથી સુમિત વરારાણીયા ત્યાજ ઢરી પડયો હતો લોહી-લુહાણ હાલતમાં જી. જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આ બાબતની વિજયભાઈ વાણિયાએ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે IPC કલમ – ૩૦૭, ૩ર૩, ૩ર૪, ૫૦૬(ર), ૨૯૪ (ખ), ૧૨૦ (બી) જી પી એકટ ૧૩૫ (૧) હેઠળ ગુનો નોંધી ઇકો કાસમભાઇ ખફી, અનો કાસમભાઇ ખફી તથા યુવરાજસિહની શોધખોળ આદરી છે.