જામનગરમાં મસાલો માંગવા બાબતે યુવાનની હત્યાનો પ્રયાસ

0
4664

જામનગર અંધાશ્રમ આવાસમાં પાન મસાલો માંગતા યુવાનની હત્યાનો પ્રયાસ : ચાર સામે ફરીયાદ 

  • જામનગર અંધાશ્રમ આવાસનો બનાવ : પાનની દુકાન બંધ હતી તેથી મસાલો માંગતા મામલો બિચક્યો
  • આરોપી : (૧) મુકેશભાઇ વિજયભાઇ થાપલીયા (૨) અન્ય ત્રણ અજાણ્યા શખ્સો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ ફેબ્રુઆરી ૨૩ જામનગર અંધાશ્રમ આવાસમાં ગઇકાલે બપારે મસાલો માંગવા બાબતે યુવાન ઉપર ચાર શખ્સો લોખંડના પાઇપ ધોકા વડે ટુટી પડતા ભારે ચકચાર જાગી છે.

જામનગરના અંધાશ્રમ આવાસમાં રહેતા જીતુભા વકતાજી જાડેજા નામના યુવાને આવાસમાં આવેલ પાનની દુકાને મસાલો ખાવા ગયા હતા દુકાન બંધ હોવાથી મુકેશભાઇ વિજયભાઇ થાપલીયા ત્યા હાજર હોય અને માસાલો બનાવતા હોય જેથી ફરીયાદીએ મુકેશભાઇ પાસે મસાલો માંગતા તે ઉશ્કેરાય જતા ફરીયાદી ઉપર લોખંડના પાઇપ તથા છરી તથા તલવાર વડે મુકેશે તથા અજાણ્યા ત્રણ ઇસમોએ જીવલેણ હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી મસાલો માંગવા જેવી બાબતે બધડાટી બોલતા સ્થાનીકોના ટોળા એકઠા થયા હતા જેમાં જીતુભા જાડેજાને માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી તથા ડાબા હાથની ટચલી આંગળીની બાજુની આંગળીમા ફેક્ચર કરી ઢીકાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી ફરીયાદીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો યુવાનનેગંભીર ઇજાઓ પહોંચતાલોહી લુહાણ હાલતમાં સારવાર માટેજામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા સીટી-સી ડીવીઝન પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને બનાવની વિગત મેળવી હતી

આથી પોલીસે જીતુભાની ફરીયાદ પરથી મૂકેશ થાપલીયા સહિત ચાર શખ્સો સામે ૩૦૭, ૩૨૫, ૩૨૩, ૧૧૪, ૨૯૪(ખ) તથા જી.પી.એક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનોં નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.