જામનગર સાધના કોલોનીમાં નામીચા શખ્સ પર હુમલો : 4 સામે ફરીયાદ

0
7394

જામનગરની સાધના કોલોનીમાં ઘાતકી હથિયારો વડે નામીચા શખસ ઉપર હુમલો: ચાર સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ એપ્રિલ ૨૩: જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા હર્ષ પરેશભાઈ મહેતા નામના એક શખ્સને રામનવમીના તહેવારના દિવસે પુનિત બીપીનભાઈ દાણીધારીયા સહિતના ચાર શખ્સો સાથે તકરાર થઈ હતી. જેનું મન દુ:ખ રાખીને ગઈકાલે હર્ષ મહેતા ઉભો હતો,

જે દરમિયાન પુનિત બીપીનભાઈ, વંશરાજસિંહ ગજેન્દ્રસિંહ, દુષ્યંતસિંહ ભરતસિંહ પિંગળ અને ગજેન્દ્રસિંહ દિલીપસિંહ સહિત ચારેય શખ્સો તલવાર -ધોકા- લોખંડના પાઇપ જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા, અને પરેશ મહેતા પર હુમલો કરી દીધો હતો, જેથી તેને ઇજાગ્રસ્ત આલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે ચારેય હુમલાપુર સામે ફરિયાદ નોંધાવતા સીટી બી. ડીવી ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ સામે હુમલા અંગેની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.