જામનગરમાં બહેનના ઘરે જવાનું કહી સ્વરૂપવાન પરિણીતા બની લાપતા

0
3315

જામનગરમાં બહેનના ઘરે જવાનું કહી પરિણીતા લાપતા

દેશ દેવી ન્યુઝ જામનગર તા . ૭ઃ જામનગર શહેરના ખેતીવાડી , વુલનમીલ વિસ્તારમાં પરમાર લત્તામાં રહેતા દિનેશભાઈ આલાભાઈ સાગઠીયાની પત્ની સીમાબેન ( ઉ.વ. ૪૫ ) કે જે ગત તા . ૩ મે ના રોજ સવારે નવ વાગ્યાના અરસામાં પોતાના બહેનના ઘરે જાવ છું તેમ કહી ક્યાંક ચાલી ગઈ છે .ધો . ૧૦ સુધીનો અભ્યાસ કરેલ પરિણીતાને ગુજરાતી , અંગ્રેજી અને હિન્દી ભાષા લખતા વાંચતા આવડે છે . પાંચ ફુટ એક ઈંચ ઉંચાઈ રાવતા સીમાબેન ઘરેથી નિકળતી વેળાએ મહેંદી કલરની કુર્તી અને સફેદ કલરની લેગીસ પહેરેલ હતી . પરિવારજનોએ તેની શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ ન મળતા દિનેશભાઈ આલાભાઈ સાગઠીયાએ સીટી સી પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ગુમ નોંધ નોંધી શોધખોળ હાથ ધરી છે .ઉપરોક્ત વર્ણનવાળી મહિલાની કોઈને ભાળ મળે તો સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના ફોન નં . ૦૨૮૮ ૨૫૫૦૮૦૫ અથવા એ . એસ . આર . આર . એમ . ડુવાના મો . નં . ૯૫૧૦૩ ૫૧૭૫૧ પર જાણ કરવી