ખંભાળિયાના બારા ગામે બે ‘દરબાર’ પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ: મહિલા સહિત 3 ઘાયલ

0
1608

ખંભાળિયાના બારા ગામે બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ: મહિલા સહિત 3 ઘાયલ, સારવાર માટે જામનગર ખસેડાયા.દેશ દેવી ન્યુઝ જામનગર : 07. ખંભાળિયાના બારા ગામે બે પરિવાર વચ્ચે જુની અદાવતમાં મારામારી થતાં એક મહિલા સહિત ત્રણ શખસો ઘાયલ થતા હતાં. ઘાયલોને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ખંભાળિયા તાલુકાના બારા ગામે જુની અદાવતમાં બે પરિવાર વચ્ચે રવિવારે બપોરે ધોકા, કુહાડી, હાથા, પાવડા વગેરે હથિયારો સાથે ધીંગાણું ખેલાયુ હતું. જેમાં અભયસિંહ ભૂપતસિંહ જાડેજા, કુસુમબા કીરીટસિંહ જાડેજા અને કીરીટસિંહ જાડેજા નામના ત્રણ શખસોને ઇજા પહોંચતા ત્રણેયને પ્રથમ ખંભાળિયા બાદમાં વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયાં બંને પક્ષ દ્રારા સામસામી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.