જામનગરની ફાયર બ્રિગેડ ના રાકેશ ગોકાણી તેમજ જેન્તીભાઈ સીંધવ ની પ્રશંસનીય કામગીરી

0
2474

જામનગરની ફાયર બ્રિગેડ ના રાકેશ ગોકાણી તેમજ જેન્તીભાઈ સીંધવ ની પ્રશંસનીય કામગીરી

  • કાલવડ ફાયર ની સમગ્ર ટીમ ખડેપગે રહી પ્રસંન્નીય કામગીરી હાથે ધરી હતી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭ ફેબ્રુઆરી ૨૪, લાલપુર તાલુકાના ગોવાણાં ગામમાં બોરવેલ માં ફસાયેલા બે વર્ષના બાળક રાજ ને જીવિત અવસ્થામાં કાઢી લેનાર જામનગરની ફાયર બ્રિગેડ શાખાના રાકેશ ગોકાણી તથા જેન્તીભાઈ સીંધવ જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદી, ફાયર બ્રિગેડ વિભાગના ચીફ ફાયર ઓફિસર કે. કે. બીશ્નોઈ, વગેરેએ જામનગર કાલાવડ ની સમગ્ર ટીમને  અભિનંદન પાઠવ્યા હતા.

આ ઉપરાંત સ્થળ પર હાજર રહેલા બાળકના માતા-પિતા તથા અન્ય પરિવારજનો વાડી માલિક અને આસપાસના વિસ્તારના ખેડૂતો વગેરેએ પણ જામનગર મહાનગરપાલિકાની ફાયરની ટુકડી ઉપરાંત કાલાવડ અને રિલાયન્સ કંપનીની ફાયર વિભાગની ટુકડી તેમજ પોલીસ તંત્ર અને ૧૦૮ ની ટીમ વગેરેનો આભાર માન્યો હતો. જામનગર જિલ્લામાં બોરવેલ ની ઘટનામાં બાળકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લેવાનો આ પ્રથમ કિસ્સો બન્યો છે.