જામનગરમાં આંધળા પ્રેમનો વધુ એક કરૂણ અંજામ: ઘરેથી ભાગીને પ્રેમી સાથે લગ્ન કરનાર યુવતિએ આખરે જિંદગી ટુકાવી પડી

0
1516

જામનગરમાં આંધળા પ્રેમનો વધુ એક કરૂણ અંજામ: ઘરેથી ભાગીને પ્રેમી સાથે લગ્ન કરનાર યુવતિએ આખરે જિંદગી ટુકાવી પડી

પ્રેમીમાંથી પતિ બનેલા યુવાને ઘર ચલાવવાની ત્રેવડ ન હોય જેથી યુવતિને પોતાના માવતરેથી  રૂપિયા લાવવાનું દબાણ કરતો

અન્ય સ્ત્રી સાથે પણ આડો સંબંધ હોય અને અવાર-નવાર શારીરીક-માનસિક ત્રાસ આપતા પતિથી કંટાળી પત્નિની આત્મહત્યા

મૃતક યુવતિના ભાઇએ નરાધમ બનેવી સામે નોંધાવી પોલીસ ફરિયાદ

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર
કહેવત છે કે, પ્રેમ આંધળો હોય છે અને આવા જ આંધળા પ્રેમમાં અનેક જિંદગીઓ હોમાઇ ગઇ છે જેનો વધુ એક દાખલો જામનગરમાં જોવા મળ્યો છેે જેમાં એક યુવતિએ દર્દ અને ત્રાસ સહન કરી પોતાની પ્રેમ કહાની અને જિંદગીનો અંત આણ્યો છે…

જામનગરની મિતલ નામની યુવતિને પરેશભાઇ રાજેશભાઇ પાઠક (બ્રાહ્મણ, રહે. ગોકુલનગર, મયુરનગર, બાપાસીતારામની મઢુલી પાસે, શેરી નં.4-જામનગર) સાથે પ્રેમ હોય અને મિતલબેને પરેશભાઇ સાથે ઘરેથી ભાગીને લગ્ન કરેલ હોય, લગ્ન થયા બાદ પ્રેમ ખતમ થઇ ગયો હોય તેમ અને ઘર ચલાવવાની જવાબદારી માથે પડી હોય અને તે પૂરી નહીં કરી શકતા પરેશભાઇએ મિતલબેન ઉપર પોતાના માવતરેથી રૂપિયા લઇ આવવા અવાર-નવાર દબાણ કરતા અને મિતલબેન તેવું નહીં કરતા તેણી ઉપર શારીરીક અને માનસિક ત્રાસ પણ ગુજારી તેને ઢીકા-પાટુનો માર પણ મારતા હતા.

આ ઉપરાંત મિતલબેનના પતિ પરેશનભાઇ શિતલ આહિર (રહે. નંદાણા ગામ) નામની યુવતિ સાથે આડા સંબંધ હોય અને તેથી તે મિતલબેનને વધુ ત્રાસ આપતો જેથી મિતલબેનથી દગો, દુ:ખ-ત્રાસ સહન ન થતા ગત તા.10-6-2021ના રોજ પોતાના ઘરે રસોડામાં આવેલ પંખાના હુકમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી પોતાની આખયું ટુંકાવી લીધું હતું.

ઉપરોકત્ત બનાવના પગલે મૃતક મિતલબેનના ભાઇ જીતેન્દ્રભાઇ શંકરલાલ હરવરા (જાતે-ભાનુશાળી, રહે. ‘જય આશાપુરા’ દિ.પ્લોટ-60, નાના પાપણીના ટાંકા પાસે,જામનગર.)એ પરેશભાઇ પાઠક સામે પોતાની બહેનને દુ:ખ-ત્રાસ આપવા તેમજ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા સબબ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેથી પોલીસે પરેશભાઇ પાઠક વિરૂઘ્ધ વિધિવત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ઉદ્યોગ ચોકીના પી.એસ.આઇ હરીયાણી તથા સ્ટાફે હાથ ધરી છે.