Home Gujarat Jamnagar જામનગરના ગાંધીનગર વિસ્તારના એક મકાનમાં કુકર ફાટ્યા બાદ શોકસર્કિટથી લાગેલી આગમાં વૃઘ્ધાનું...

જામનગરના ગાંધીનગર વિસ્તારના એક મકાનમાં કુકર ફાટ્યા બાદ શોકસર્કિટથી લાગેલી આગમાં વૃઘ્ધાનું કમકમાટીભર્યુ મોત.

0

જામનગરના ગાંધીનગર વિસ્તારના એક મકાનમાં કુકર ફાટ્યા બાદ શોકસર્કિટથી લાગેલી આગમાં વૃઘ્ધા કમકમાટીભર્યુ મોત.

જામનગર: જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આજે એક ગોઝારી દુર્ઘટનામાં એક વૃઘ્ધાનું કમકમાટીભર્યુ મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

આ બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે, શહેરના ગાંધીનગર સ્મશાન નજીક રહેતા દીલીપભાઇ ખોડુભાઇના મકાનમાં અચાનક કુકર ફાટ્યુ હતું

જેના કારણે શોક સર્કિટ થતા ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી, આગની જ્વાળાઓમાં 70 વર્ષીય વસંતબેન લપેેટાઇ જતા તેઓ બળીની ભડથું થઇ ગયા હતા.

આ અંગેની જાણ ફાયર બ્રિગેડન કરાતા ફાયરનો કાફલો તાકીદે ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી બાદમાં તેઓએ વૃઘ્ધાના મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version