ભાણવડમાં સસ્તા ભાવે મકાન પચાવી લેવાના ઇરાદે વૃદ્ધની હત્યા

0
1176

ભાણવડમાં વૃધ્ધની હત્યા સસ્તા ભાવે મકાન પચાવી લેવાના ઇરાદે સલીમ મનસુરઅલી સમનાણીએ હત્યા કરી હોવાની ફરિયાદના આધારે પોલીસે શરૂ કરી તપાસ : આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન

દેશ દેવી ન્યુઝ O7: ભાણવડમાં વેરાડ નાકા વિસ્તારમાં આવેલી કાણીયા મામા ચોક વાળી શેરીમાં રહેતા અને હાલ નિવૃત જીવન જીવતા મનસુરભાઇ કાસમભાઇ કોટડીયાના 63 વર્ષના વૃધ્ધના બે સંતાનો વિદેશ સ્થાયી થયેલા છે અને તેઓ અહી એકલવાયુ જીવન વિતાવતા હોય. તેઓનું એક બંધ મકાન ભાણવડમાં દિવડી સોસાયટી ખાતે રહેતા સલીમ મનસુરઅલી સમનાણી નામના એક યુવાનને જોઇતુ હતું. આ મકાન સસ્તી કિંમતમાં જોઇતુ હોવાથી અને મકાનના માલીક મનસુરભાઇ કોટડીયા તેમને કોઇ પણ હિસાબે પોતાનું મકાન વેચવા તૈયાર નહોતા.આ બાબતનું મનદુ:ખ રાખી, જુમા મસ્જીદ રોડ વિસ્તારમાં રહેતા આસીકભાઇ હસનઅલી કડીવાર નામના તેમના સબંધીના ઘર પાસે આરોપી સલીમએ મનસુરભાઇ સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ સલીમે મનસુરભાઇને ગાળો કાઢી તેમના ઘરે સ્કુટર પર જઇ અને તેના નેફામાં રહેલી છરી મનસુરભાઇ કોટડીયાના શરીરમાં ઝીંકી દીધી હતી.આથી લોહી લુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને ઇમરજન્સી ૧૦૮ વાન મારફતે સ્થાનીક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે આશીકભાઇ હસનઅલી કડીવાર (ઉ.વ.૨૭)ની ફરીયાદ પરથી તેમના મોટાબાપુની હત્યા નિપજાવવા સબબ સલીમ મનસુરઅલી સમનાણી સામે કલમ ૩૦૨, પ૦૪ તથા જી.પી.એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.